Surya Grahan 2023: શરુ થઈ ગયુ સૂર્યગ્રહણ, નેગેટીવ પ્રભાવથી બચવા માટે રાશિ પ્રમાણે કરો આ ઉપાય
Surya Grahan 2023: આજે એટલે કે 20 એપ્રિલના રોજ સવારે 7 વાગીને 4 મિનિટે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ શરુ થઈ ચૂક્યુ છે. જે બપોરે 12.29 વાગ્યા સુધી ચાલશે. 5 કલાક 24 મિનિટ સુધી ચાલનારુ આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં.
આ સૂર્યગ્રહણ ભલે ભારતમાં ન દેખાય પરંતુ આ દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ 20 એપ્રિલે સૂર્યગ્રહણ સમયે રાશિ પ્રમાણે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

મેષઃ આ રાશિના લોકોનો સ્વામી મંગળ છે. ગ્રહણ દરમિયાન કરવામાં આવતા દાનમાં મંગળને પ્રસન્ન રાખતી વસ્તુઓનો સમાવેશ કરો. મસૂરની દાળ, લાલ કપડું અને ગોળનું દાન કરો.
વૃષભ: આ રાશિનો સ્વામી શુક્ર છે. તેમને પ્રસન્ન કરવા માટે જાતકોએ શુક્ર સંબંધિત સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. ખીર, કપૂર, ચોખા, ખાંડ, સફેદ કપડું, દૂધ અને દહીંનું દાન કરો.
મિથુનઃ આ રાશિનો સ્વામી બુધ છે. ગ્રહણ સમાપ્ત થયા પછી જાતકોએ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ અને મા દુર્ગાને લીલી ચુંદડી અર્પણ કરવી જોઈએ. તેની સાથે લીલા શાકભાજી અને લીલા મગની દાળનું દાન કરો.
કર્કઃ આ રાશિના ગ્રહ દેવતા ચંદ્ર છે. તેમને ખુશ કરવા માટે ગ્રહણ પછી ગરીબોમાં સફેદ કપડાં, દૂધ, ચોખા અથવા દૂધથી બનેલી મીઠાઈઓ વહેંચો.
સિંહઃ આ રાશિનો સ્વામી સૂર્ય દેવ માનવામાં આવે છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ સૂર્યના અશુભ પ્રભાવથી બચવા માટે ઘઉં, ગોળ, તાંબાના વાસણો અને નારંગી વસ્ત્રોનું દાન કરવું જોઈએ.
કન્યાઃ આ રાશિનો સ્વામી બુધ છે. તેમની સ્થિતિ સ્થિર રાખવા અને સકારાત્મક પરિણામ મેળવવા માટે લીલા રંગની વસ્તુઓનું દાન કરો. માતાને લીલી ચુંદડી ચઢાવો, ગાયને લીલું ઘાસ ખવડાવો અને જરૂરિયાતમંદ લોકોને લીલા કપડા અથવા લીલા મગની દાળ આપો.
તુલાઃ આ રાશિનો શાસક ગ્રહ શુક્ર છે. ગ્રહણ પછી શુક્ર સંબંધિત સફેદ વસ્તુઓનું દાન કરો. ચોખા, દૂધ, ખીર, ખાંડ, સફેદ વસ્ત્ર વગેરે જરૂરિયાતમંદ લોકોને દાન કરો.
વૃશ્ચિકઃ આ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી જાતકોએ લાલ વસ્ત્ર, ગોળ, મસૂરનું દાન કરવું જોઈએ. તેનાથી ગ્રહણની આડ અસર દૂર થશે અને મંગળની દશા યોગ્ય રહેશે.
ધનઃ આ રાશિનો સ્વામી ગુરુ ગ્રહ માનવામાં આવે છે. ગ્રહણના દિવસે જાતકોએ પીળા રંગની વસ્તુઓ જેમ કે હળદર, કોળું, ચણાનો લોટ, કેસર, ગોળ, પીળા વસ્ત્રો વગેરેનું દાન કરવું જોઈએ. આ દિવસે શ્રી હરિ વિષ્ણુની પણ પૂજા કરો.
મકરઃ આ રાશિના સ્વામી ગ્રહ શનિદેવ છે. આ દિવસે આ લોકોએ સરસવનું તેલ, કાળા તલ, છત્રી અને વાદળી રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ.
કુંભઃ શનિદેવ આ રાશિના પણ સ્વામી છે. તેમને ખુશ રાખવા માટે સરસવનું તેલ, કાળા તલ, છત્રી અને વાદળી રંગના કપડાં વગેરેનું દાન કરી શકાય છે.
મીનઃ આ રાશિનો સ્વામી ગ્રહ ગુરુને માનવામાં આવે છે. ગ્રહણના દિવસે પીળા રંગની વસ્તુઓ જેમ કે હળદર, કોળું, ચણાનો લોટ, કેસર, ગોળ, પીળા કપડાં વગેરેનું દાન કરવું જોઈએ. ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
