Surya Grahan 2023: 20 એપ્રિલ સૂર્યગ્રહણ પર મળશે અનેક સમસ્યાઓનો ઉકેલ, જાણો શું કરવાનુ રહેશે?
Solar eclipse 2023: વૈશાખ અમાસનો દિવસ ખાસ હોય છે. આ દિવસે જીવનની અનેક સમસ્યાઓ દૂર કરવા માટે ઘણા ઉપાય કરવામાં આવે છે. અમાસના દિવસે પિતૃ દોષ, નાગ દોષ, કાલસર્પ દોષ, ગ્રહણ દોષ વગેરેના નિવારણ માટે દાન, પૂજા વગેરે કરવામાં આવે છે.
આ વખતે વિષ્કુંભ યોગ અને નાગ કરણ 20 એપ્રિલ 2023ના રોજ વૈશાખ અમાસના દિવસે આવી રહ્યા છે. આ યોગોના કારણે અમાસનુ મહત્વ વધુ વધી ગયું છે.

વૈશાખ અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, પિતૃઓ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધકર્મ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદથી કૌટુંબિક અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
સમસ્યાઓના ઉકેલ માટે કરે આ ઉપાય
કુંડળીમાં પિતૃ દોષના કારણે વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. તેનુ કોઈ કામ બરાબર થતુ નથી. કામોમાં વિલંબ થાય છે અને ઘણી મુશ્કેલી પડે છે. કૌટુંબિક-વૈવાહિક જીવનમાં મુશ્કેલી, આર્થિક સંકટ, આજીવિકાનુ સંકટ, શારીરિક માનસિક કષ્ટ વગેરે તેને પરેશાન કરે છે.
પિતૃ દોષના કારણે વ્યક્તિને સંતાન પ્રાપ્તિમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલા માટે પિતૃ દોષ દૂર કરવો જરૂરી છે. આ માટે વિદ્વાન પૂજારી દ્વારા અમાસના દિવસે નારાયણ બલી, નાગબલીની પૂજા કરાવવી જોઈએ. નાગ દોષ અને કાલસર્પ દોષ પણ આ પૂજાઓ દ્વારા શાંત થાય છે.
સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ યોગ પણ બને છે
જો કુંડળીમાં સૂર્ય કે ચંદ્રની સાથે રાહુ હોય તો સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ દોષ પણ બને છે. આ દોષોથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે રુદ્રાભિષેક કરવો જોઈએ. મહામૃત્યુંજય મંત્રના 11 હજાર જાપ કરવાથી ગ્રહણ દોષની શાંતિ રહે છે.
દરેક પરિક્રમા પૂર્ણ થવા પર દરેકને એક-એક લાલ પીળુ ફૂલ અર્પણ કરતા રહો. આ રીતે 27 પરિક્રમામાં 27 ફૂલ ચઢાવો. ભગવાન વિષ્ણુ પીપળમાં નિવાસ કરે છે. તેમને પ્રાર્થના કરો કે આર્થિક સંકટ જલ્દી દૂર થઈ જાય. આ પછી કોઈને કંઈપણ કહ્યા વિના શાંતિથી તમારા ઘરે આવો. ફરી સાંજે એ જ પીપળના ઝાડ નીચે લોટના 27 દીવા પ્રગટાવો.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
