Surya Puja: સૂર્યને કયુ પુષ્પ અર્પણ કરવુ જોઈએ અને કયુ નહિ
આજે આપણે જાણીએ કે સૂર્યને કયા ફૂલ ચઢાવવા જોઈએ અને કયા નહિ.
Surya Puja: પંચદેવોમાંના એક ભગવાન સૂર્યની ઉપાસના, સર્વ સુખના પ્રદાતા, સર્વ શાંતિના પ્રદાતા, સર્વ મુક્તિના પ્રદાતા, તમામ રોગોના નિવારક હોય છે. દરરોજ સૂર્યને અર્પણ અને પૂજા કરવી એ હિંદુ સનાતન પરંપરાનો અભિન્ન ભાગ છે. આજે આપણે જાણીએ કે સૂર્યને કયા ફૂલ ચઢાવવા જોઈએ અને કયા નહિ.
ભવિષ્ય પુરાણમાં કહેવામાં આવ્યુ છે કે જો સૂર્ય ભગવાનને એક આકનુ ફૂલ અર્પિત કરવામાં આવે તો દસ અશરફીઓ ચઢાવવાનુ ફળ મળે છે. સૂર્યદેવ બેલા, માલતી, કાશ, માધવી, પાટલા, કાનેર, જપા, યવંતી, કુબ્જક, કર્ણીકર, પીલી, કટસરૈયા, ચંપા, રોલક, કુંડ, કાલી કટાસરૈયા, બરબરમલ્લિકા, અશોક, તિલક, લોધ, અરુષા, કમલ, મૌલસિરી, અગસ્ત્ય અને પલાશના ફૂલ અને દુર્વા. આ ઉપરાંત બિલિપત્ર, શમીના પાન, ભંગરૈયાના પાન, તમાલપત્ર, તુલસી અને કાળા તુલસીના પાન અને કમળના પાન સૂર્યદેવની પૂજામાં સ્વીકાર્ય છે.
સૂર્ય માટે આ ફૂલોનો છે નિષેધ
સૂર્ય ભગવાનને ગુંજા, ધતૂરા, કાંચી, અપરાજિતા, ભટકટૈયા, તગડ અને અમડા ન ચઢાવવા જોઈએ.
ફૂલોમાં સૌથી શ્રેષ્ઠ
કાનેરનું ફૂલ હજાર અડહલ ફૂલો કરતા વધુ છે એક કનેરનુ પાન, હજાર કનેરના ફૂલો કરતા વધુ છે એક બિલિપત્ર, હજાર બિલિપત્રોથી વધુ છે એક પદ્મ, હજારો રંગીન પદ્મ પુષ્પોથી વધીને છે એક મૌલસિરી, હજારો મૌલસિરિઓથી વધીને છે એક કુશનુ ફૂલ, હજાર કુશના ફૂલોથી વધુ છે એક શમીનુ ફૂલ, હજાર શમીના ફૂલોથી વધીને છે એક નીલકમલ, હજાર નીલ તેમજ રક્ત કમલોથી વધીને છે કેસર અને લાલ કનેરનુ ફૂલ. જો આ ફૂલ ન મળે તો બદલામાં તેમના પત્તા ચડાવો અને પત્તા પણ ન મળે તો તેમના ફળ અર્પણ કરવા જોઈએ.