For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ લોકોએ ભૂલથી પણ ન ધારણ કરવું મોતી, થઇ જશે આ નુકસાન

જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોને ગ્રહો સાથે જોડવામાં આવે છે. દરેક રત્ન કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. રત્ન શાસ્ત્રમાં આ અંગે વિગતવાર વર્ણન પણ કરવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોને ગ્રહો સાથે જોડવામાં આવે છે. દરેક રત્ન કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. રત્ન શાસ્ત્રમાં આ અંગે વિગતવાર વર્ણન પણ કરવામાં આવ્યું છે. આ સાથે એવી સલાહ આપવામાં આવે છે કે જાણકારોની સલાહથી નિયમો અનુસાર રત્નો પહેરવા જોઈએ, નહીં, તો લાભ થવાને બદલે તમાને નુકસાન થઈ શકે છે. જો મોતીની વાત કરીએ તો તેને ચંદ્ર સાથે સંબંધ સીધો છે.

આ સાથે મોતી પહેરવાથી મન શાંત થાય છે અને ગુસ્સો કાબૂમાં રહે છે. જોકે, મોતી પહેરવું હંમેશા ફાયદાકારક સાબિત થયું નથી. તે કેટલીક રાશિના જાતકો માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.

આ રાશિના જાતકોને થશે નુકસાન

આ રાશિના જાતકોને થશે નુકસાન

વૃષભ, મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના જાતકોએ મોતી ધારણ કરવું જોઇએ નહીં. આ સાથે શુક્ર, બુધ અને શનિની રાશિવાળા લોકોએ પણ મોતી ન પહેરવા જોઈએ. આ રાશિના લોકોને મોતી પહેરવાથી સકારાત્મક પરિણામ નથી મળતું. આ સાથે લાગણીશીલ લોકોએ પણ મોતી પહેરવાનું ટાળવું જોઈએ.

આ રત્નો સાથે ન પહેરો મોતી

આ રત્નો સાથે ન પહેરો મોતી

બીજી તરફ જે લોકોને મોતી પહેરવાની સલાહ આપવામાં આવી છે, તેમને પહેરતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, તેઓએ પહેલાથી જનીલમ, ગોમેદ અને હીરા ધારણ કર્યા નથી. આ રત્નો સાથે મોતી ધારણ કરવાથી તે નકારાત્મક પરિણામો આપવા લાગે છે.

જળ તત્વની સમસ્યા

જળ તત્વની સમસ્યા

જે લોકોની કુંડળીમાં 12 મા કે 10 મા ભાવમાં ચંદ્ર હોય, આવા લોકોએ મોતી ન ધારણ કરવા જોઈએ. આ સાથે જો તમને શરીરમાં કફ, પાણીના તત્વ જેવી સમસ્યા હોય, તો તમારે મોતી પહેરવાનું ટાળવું જોઈએ. અન્યથા સમસ્યા ઓછી થવાને બદલે વધી જાય તેવી શક્યતા છે.

English summary
These people should not wear pearls even by mistake, this damage will be done
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X