કુંડળી કહે છે હવે મનમોહન સિંહે સંન્યાસ લઇ લેવો જોઇએ!
[પંડિત દયાનન્દ શાસ્ત્રી] દેશના વડાપ્રધાન મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર, 1932ના રોજ બપોરે 2 વાગ્યે પાકિસ્તાનના ઝેલમમાં ધનુ લગ્નમાં થયો. તેમની રાશિ કર્ક છે. દેશમાં કર્ક રાશિવાળા ઘણા વડાપ્રધાન થઇ ચૂક્યા છે. તેમની કુંડળીમાં ભદ્રક મહાપુરુષ યોગ, સુનફા યોગ, શંખ યોગ, નીચ ભંગ યોગ, શ્રીનાથ યોગ, બુધાદિત્ય યોગ, હર્ષ યોગ, ધન યોગ અને પૂર્ણ આયુષ્ય યોગ છે. વર્તમાન સમયમાં ડો. મનમોહન સિંહ રાહુની મહાદશા અને શુક્રની અંતર્દશાથી પસાર થઇ રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે દેશના મોટા ભાગના વડાપ્રધાન રાહુ દશાના પ્રભાવમાં બન્યા છે. તેમાં ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેઇનામનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મનમોહન સિંહની વર્તમાન દશા અને અંતર્દશા તથા ગોચરીય સ્થિતિના આધાર પર કહી શકાય છે કે તેમની સ્થિતિમાં કોઇ મહત્વપૂર્ણ પરિવર્તન નહી આવે. વડાપ્રધાનના રૂપમાં તેમની આ છેલ્લી પારી બની રહેશે.












Click it and Unblock the Notifications
