Vastu Tips : કિસ્મતના દરવાજા ખોલી દે છે આ વાસ્તુ ટિપ્સ, થાય છે પ્રગતિ
તમારે વાસ્તુ શાસ્ત્રના અમુક નિયમો જાણી લેવા જોઇએ. અમુક પ્રકારની ભૂલોને કારણે દેવી-દેવતાની કૃપા અટકી જાય છે. તો આજે આપણે જણીશું કે, તમારે ઘરેથી કામ કરતા સમયે શું શું ધ્યાન રાખવાની જરૂરી છે.
Vastu Tips : જ્યોતિષ શાસ્ત્રમાં વાસ્તુ માટે અલગ શાસ્ત્ર છે, જેમાં વાસ્તુના નિયમો જણાવવામાં આવ્યા છે. આ સાથે માણસના જીવનમાં પણ વાસ્તુનું આગવું મહત્વ હોય છે. આવા સમયે તમારે વાસ્તુ શાસ્ત્રના અમુક નિયમો જાણી લેવા જોઇએ. અમુક પ્રકારની ભૂલોને કારણે દેવી-દેવતાની કૃપા અટકી જાય છે. તો આજે આપણે જણીશું કે, તમારે ઘરેથી કામ કરતા સમયે શું શું ધ્યાન રાખવાની જરૂરી છે.
ઓફિસમાં કામ કરતી વખતે વ્યવસ્થિત રીતે બેસો
ઓફિસમાં કામ કરતી વખતે વ્યવસ્થિત રીતે બેસવાનું પણ ઘણું મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, કામ કરતી વખતે ક્યારેય આડા પગે બેસી ન જાવ. આવા સમયે, ઓફિસમાં કામ કરતી વખતે ઉપયોગમાં લેવાતી ખુરશીની પાછળનો ભાગ માથાની ઉપર હોવો જોઈએ.
ઓફિસનું કામ કરવા માટે અલગ જગ્યા હોવી જોઈએ
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરેથી કામ કરી રહ્યા છો અથવા ઓફિસનું કામ ઘરેથી કરી રહ્યા છો, તો તેના માટે અલગ જગ્યા હોવી જોઈએ.
આ માટે, એક નાનું ડેસ્ક અને આરામદાયક ખુરશી મૂકો. જોકે, ધ્યાનમાં રાખો કે, ટેબલ લંબચોરસ અથવા ચોરસ હોવું જોઈએ.
લેપટોપ અને મોબાઇલના ચાર્જરને એવી રીતે મૂકો કે તે દેખાય નહીં
વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ-પૂર્વ દિશા ઈલેક્ટ્રોનિક ઉપકરણો રાખવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઓફિસમાં કામકરતી વખતે તમારા કમ્પ્યુટર કે લેપટોપને આ દિશામાં રાખવું જોઈએ. આવા સમયે, લેપટોપ અને મોબાઇલના ચાર્જરને એવી રીતે મૂકો કેતે દેખાય નહીં.
ઘન ક્રિસ્ટલને વર્કિંગ ટેબલ પર રાખવાથી કામ કરવાની ક્ષમતા વધે છે
જો તમે તમારા કરિયરમાં આગળ વધવા માંગો છો, તો તમારી કાર્ય ક્ષમતા વધારવી પણ જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, વાંસના છોડ અનેઘન ક્રિસ્ટલને વર્કિંગ ટેબલ પર રાખવાથી કામ કરવાની ક્ષમતા વધે છે.
સુતા સમયે માથું પૂર્વ દિશામાં રાખવું
જો કરિયરમાં પ્રગતિ ન થાય, તો ઊંઘની ખોટી દિશા પણ કારણ બની શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂતી વખતે હંમેશા માથું પૂર્વ દિશામાંરાખવું. આમ કરવાથી મન શાંત રહે છે અને ધ્યાન કામમાં લાગેલું રહે છે.