Ashtalakshmi Raj Yoga : અષ્ટાક્ષ્મી રાજયોગથી 3 રાશિની ચમકશે કિસ્મત
Ashtalakshmi Raj Yoga : વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને સુખ, સંપતિ અને એશ્વર્યાનો ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહના વૃષભ અને તુલા રાશિનો સ્વામી માનવામાં આવે છે.
Ashtalakshmi Raj Yoga : વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને સુખ, સંપતિ અને એશ્વર્યાનો ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહના વૃષભ અને તુલા રાશિનો સ્વામી માનવામાં આવે છે. જે જાતકોની કુંડળીમાં શુક્ર મજબુત ભાવમાં હોય છે, તેને દરેક રીતે સુખ, સમૃદ્ધિ અને એશોઆરામની જીંદગી જીવે છે. શુક્ર ગ્રહ 11 નવેમ્બરના રોજ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન અષ્ટલક્ષ્મી રાજ યોગ બનવા જઇ રહ્યો છે.
ગોચર અનેક રાશિઓ પર પાડશે શુભ પ્રભાવ
11 નવેમ્બરના રોજ શુક્રનું આ ગોચર અનેક રાશિઓ પર શુભ પ્રભાવ પાડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર 11 નવેમ્બરની સાંજે 07.52 કલાકેગોચર કરશે.
શુક્ર ગોચરની સાથે અષ્ટલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. આ યોગની અસર તમામ રાશિઓ પર જોવા મળશે, પરંતુ એવી 3રાશિઓ છે, જેને અષ્ટલક્ષ્મી રાજ યોગની અસરથી લાભ થવાની શક્યતા છે.
મકર રાશિ :
મકર રાશિના લોકોના અગિયારમા ભાવમાં અષ્ટલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. અગિયારમો ભાવ ઘર માનવામાં આવે છે. આ યોગ તમારામાટે શુભ સાબિત થઈ શકે છે. જે કારણે વૃશ્ચિક રાશિમાં શુક્રના ગોચર દરમિયાન વેપારમાં સારો નફો થઈ શકે છે.
મકર રાશિના લોકોને આસમયગાળા દરમિયાન રોકાણ સંબંધિત ભાગીદારી કરવાથી ફાયદો થશે. આ ઉપરાંત જો તમે પહેલા ક્યારેય રોકાણ કર્યું છે, તો તમને તેનોલાભ મળી શકે છે.
કુંભ રાશિ :
કુંભ રાશિના લોકોના દસમા ભાવમાં અષ્ટલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે. દસમું ભાવ વ્યવસાય અને કાર્યક્ષેત્રનું ઘર માનવામાં આવે છે.
કુંભ રાશિના લોકો માટે આ યોગ આર્થિક રીતે લાભદાયી રહેશે. આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે.
આ સાથે તમારી આવકના સ્ત્રોતમાં અચાનક વધારો થઈ શકે છે. જો તમે કોઈ નવું કામ કરવા ઈચ્છો છો, તો આ સમય તમારા માટે અનુકૂળરહેશે. સંતાન પક્ષ તરફથી પણ તમને કોઈ સારા સમાચાર મળે તેવી શક્યતા છે.
મીન રાશિ :
મીન રાશિના લોકોના નવમા ભાવમાં અષ્ટલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં નવમો ભાવ ભાગ્યનું સ્થાન માનવામાંઆવે છે. જે મીન રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આવા સમયે તમારું ભાગ્ય તમારો સાથ આપશે. આ સાથે તમારેવ્યવસાય સંબંધિત બાબતો માટે મુસાફરીનું આયોજન થઇ શકે છે.
જેઓ અવિવાહિત છે, તેમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. આ ઉપરાંતપૈસાની બાબતમાં પણ આ સમય તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.