Vinayak Chaturthi 2022 Date And Timing: ક્યારે છે વિનાયક ચતુર્થી, અહીં જાણો શુભ મુહૂર્ત, મંત્ર અને પૂજા વિધિ
માર્ગશીર્ષ વિનાયક ચતુર્થીનુ ઘણુ મહત્વ છે. માનવીના અડધા દુઃખ તો માત્ર તેમનુ સ્મરણ કરવાથી દૂર થઈ જાય છે...
Vinayak Chaturthi 2022 Date And Timing: માર્ગશીર્ષ વિનાયક ચતુર્થીનુ ઘણુ મહત્વ છે. માનવીના અડધા દુઃખ તો માત્ર તેમનુ સ્મરણ કરવાથી દૂર થઈ જાય છે અને જો કોઈ વ્યક્તિ ચતુર્થીના દિવસે સાચા મનથી તેની પૂજા કરે તો તેના વ્યારા-ન્યારા થઈ જાય છે. આ વખતે વિનાયક ચતુર્થી 27 નવેમ્બરે છે. જો કે ચતુર્થી તિથિ 26 નવેમ્બર 2022 ના રોજ સાંજે 7.28 વાગે શરૂ થશે પરંતુ ઉદયતિથિના કારણે ઉપવાસ 27 નવેમ્બરના રોજ રાખવામાં આવશે. આ દિવસે ચતુર્થી તિથિ સાંજે 4:25 સુધી રહેશે.

પૂજા માટેનો શુભ સમય
27 નવેમ્બરે સવારે 11:06થી બપોરે 01:12 સુધી પૂજાનો શુભ સમય છે.
આ રીતે કરો પૂજા
- વિનાયક ચતુર્થીના દિસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પૂજા સ્થાનને સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો.
- ભગવાન ગણેશને વસ્ત્રો પહેરાવો અને મંદિરમાં દીવો પ્રગટાવો.
- ગણેશજીને તિલક કરો અને ફુલ ચડાવો.
- આ પછી ભગવાન ગણેશને 21 દૂર્વા ગાંઠો ચડાવો. ભગવાન ગણેશને ઘીના મોતીચૂરના લાડુ અથવા મોક અર્પણ કરો.
- પૂજા પૂરી થયા પછી આરતી કરો અને પૂજામાં થયેલી ભૂલ માટે ક્ષમા માંગો.
ગણેશના મંત્રો
- ॐ गं गणपतये नम:।
- ॐ वक्रतुण्डाय हुं।
- सिद्ध लक्ष्मी मनोरहप्रियाय नमः
- ॐ मेघोत्काय स्वाहा।
- ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वर वरद सर्वजनं मे वशमानय स्वाहा।
- ॐ नमो हेरम्ब मद मोहित मम् संकटान निवारय-निवारय स्वाहा।












Click it and Unblock the Notifications
