મારુતિ સુઝુકીનો બીએસ -4 સ્ટોક સમાપ્ત થવાની તૈયારીમાં, આ છે કારણ
મારુતિ સુઝુકીનો બીએસ -4 સ્ટોક સમાપ્ત થવાની તૈયારીમાં, આ છે કારણ
મારુતિ સુઝુકીએ તેના મોટાભાગનાં મોડેલોને બીએસ -6 વર્ઝનમાં લોન્ચ કર્યા છે. મારુતિ સુઝુકીના બીએસ -4 મોડેલોનો સ્ટોક પણ સમાપ્ત થવાની આરે પહોંચ્યો છે. મારુતિ સુઝુકીની અલ્ટો, સ્વિફ્ટ, બલેનો, ઇર્ટિગા, ડિઝાયર જેવા મોડેલોના બીએસ -4 વર્જન વાળો સ્ટોક હવે સમાપ્ત થવાની આરે પહોંચ્યો છે. કંપની પાસે બીએસ -4 નો માત્ર 14 દિવસનો સ્ટોક બાકી છે.

સ્ટોક સમાપ્ત થવાની તૈયારીમાં
મારુતિ સુઝુકી પાસે હાલમાં અલ્ટો, વેગનઆર, એર્ટિગા, સ્વીફ્ટ, ડિઝાયર જેવા મોડેલોના ફક્ત પેટ્રોલ બીએસ -4 સ્ટોક બાકી રહેલા છે અને તે પણ થોડા દિવસોમાં સમાપ્ત થઈ જશે.

બીએસ -6, 1.6 લિટર ડીઝલ એંજિન લાવવાની
મારુતિ આ કારોના પેટ્રોલ વર્ઝનનું નિર્માણ કરવાની નથી, જોકે બીએસ -4 ડીઝલ કારનું નિર્માણ વર્ષ 2019 ના અંત સુધી ચાલુ રહેશે. કંપની તેના બદલે બીએસ -6, 1.6 લિટર ડીઝલ એંજિન લાવવાની છે.

માંગ વધી
કંપનીએ એપ્રિલમાં દેશમાં તેની પ્રથમ બીએસ-6 કાર લોન્ચ કરી હતી અને આજ સુધીમાં કંપની દ્વારા 2 લાખથી વધુ બીએસ-6 વાહનોનું વેચાણ કરવામાં આવ્યું છે. તે પરથી સમજી શકાય છે કે બીએસ -6 મોડેલોની માંગ વધી રહી છે.

મારુતિ સુઝુકી
મારુતિ સુઝુકીએ તેના 70 ટકા મોડલોને પેટ્રોલ બીએસ -6 માં પરિવર્તિત કર્યા છે અને હાલમાં બીએસ -6 માં અન્ય મોડેલો લાવવાની તૈયારી ચાલી રહી છે. નવા મોડલ્સ બીએસ -6 એન્જિન સાથે શરૂઆતથી રજૂ કરવામાં આવ્યા છે.

મારુતિ સુઝુકી
કંપનીની મારુતિ એક્સએલ 6 અને મારુતિ એસ-પ્રેસોને બાદ કરતાં, બીએસ -4 વેરિઅન્ટમાં અન્ય મોડેલો ઉપલબ્ધ હતા પરંતુ આ તમામ મોડેલોને બદલી નાખવામાં આવ્યા છે. તેના બીએસ -6 મોડેલોનું વેચાણ સારું થઇ રહ્યું છે.

મારુતિ સુઝુકી
તમને જણાવી દઈએ કે ભારતમાં બીએસ -6 વાહનો માટે એક નવો ઉત્સર્જન માનક છે, જે 1 એપ્રિલ 2020 થી અમલમાં આવશે. તેના અમલ પછી, નવા લોંચ થવાના વાહનમાં બીએસ-6 સુસંગત એન્જિન હોવું જરૂરી છે.

મારુતિ સુઝુકી
મારુતિ સુઝુકી તેના મોડેલોને બીએસ -6 માં રૂપાંતરિત કરવા માટે મોખરે દેખાઈ રહી છે અને કંપનીએ જ સૌથી પહેલા ડીઝલ બંધ કરવાની જાહેરાત કરી હતી. આનાથી કંપનીના વેચાણને અસર થવાની વાત કહેવામાં આવી રહી છે.

અમારો વિચારો
મારુતિ સુઝુકીના બીએસ -6 મોડેલોની લોકપ્રિયતા હોવા છતાં, બીએસ -4 સ્ટોક સમાપ્ત થવાના આરે છે. તેનું કારણ એ છે કે કંપની બીએસ -4 મોડેલો પર ભારે છૂટ આપી રહી છે, જેના કારણે ગ્રાહકો વહેલી તકે ખરીદી કરી રહ્યા છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
