ફ્રિકલ્સ અને ડાર્ક સર્કલ્સને દૂર કરવા લગાવો આ જેલ, ચહેરો બનશે બેદાગ અને ચમકદાર
શું તમે જાણો છો કે માત્ર એલોવેરાના ઉપયોગથી બંને સમસ્યાઓનો ઈલાજ કરી શકાય છે. એલોવેરાનો ઉપયોગ મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ કરતાં વધુ ફાયદાકારક છે અને ચહેરાને નિખાર અને ચમકદાર દેખાવ આપે છે.
ઉનાળામાં, સૂર્યપ્રકાશને કારણે ત્વચાને નુકસાન થાય છે, જેનાથી ફ્રિકલ અને ડાર્ક સર્કલની સમસ્યા થઈ શકે છે, પરંતુ શું તમે જાણો છો કે માત્ર એલોવેરાના ઉપયોગથી બંને સમસ્યાઓનો ઈલાજ કરી શકાય છે. એલોવેરાનો ઉપયોગ મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ કરતાં વધુ ફાયદાકારક છે અને ચહેરાને નિખાર અને ચમકદાર દેખાવ આપે છે. ચાલો જાણીએ કે તમે ફ્રિકલ અને ડાર્ક સર્કલ દૂર કરવા માટે એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
ડાર્ક સર્કલ અને ફ્રિકલ્સને દૂર કરવા માટે કરો એલોવેરાનો ઉપયોગ
1. દૂર કરે છે ત્વચાની કરચલી
જ્યારે ત્વચા ઢીલી પડવા લાગે છે, ત્યારે ચહેરા અને ત્વચા પર ઝીણી રેખાઓ દેખાવા લાગે છે, પરંતુ જો તમે રાત્રે એલોવેરા જેલથી મસાજ કરશો, તો ત્વચા ટાઈટ થશેઅને ફાઈન લાઈન્સ ઓછી થશે. આ સાથે ત્વચા પણ કોમળ અને ચમકદાર બનશે.
2. નાની ઉંમરે વૃદ્ધત્વ ન દેખાય તે માટે કરો ઉપયોગ
જો નાની ઉંમરમાં જ તમારા ચહેરા પર કરચલીઓ અથવા ફ્રિકલ દેખાવા લાગ્યા હોય, તો તમે એલોવેરા વડે એન્ટિ એજિંગ માસ્ક બનાવી શકો છો.
એલોવેરા જેલમાંહાજર વિટામિન ઇ અને વિટામિન સી ત્વચામાં કોલેજન વધારવામાં મદદ કરે છે, જે ત્વચાને યુવાન બનાવે છે. 1 ચમચી એલોવેરા જેલ, 1 ચમચી મધ અને 1 ચમચીગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો.
આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. એલોવેરા માસ્ક સુકાઈ ગયા બાદ ચહેરાને હૂંફાળાપાણીથી ધોઈ લો.
3. ડાર્ક સર્કલ દૂર કરવા
તમે એલોવેરા જેલની મદદથી પણ ડાર્ક સર્કલ દૂર કરી શકો છો. આ માટે તમારે રાત્રે સૂતા પહેલા ડાર્ક સર્કલ પર એલોવેરા જેલ લગાવવી પડશે. બીજા દિવસે સવારેતમારા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ ચહેરા પરના સોજા, આંખના પોપચા અને ફ્રિકલ્સને પણ ઘટાડશે.