હાથીના દાંતમાં એવુ તો શું છે કે સોના કરતા પણ મોંઘા વેચાય છે?
દુનિયામાં મોટાભાગના હાથીઓનું નિકંદન તેના મોંઘા દાંતને કારણે નીકળી રહ્યું છે. તમને સવાલ થતો હશે કે આખરે હાથીના દાંતમાં એવુ તો શું છે કે તે સોના કરતા મોંઘા વેચાય છે? હાથી દાંતની દાણચોરી પાછળ ઘણા ચૌકાવનારા કારણો છે.
હાથીના દાંતનો ઉપયોગ આભુષણો બનાવવામાં થાય છે. નેકલેસ અને બંગડી સહિતના મોંઘા ઘરેણાં હાથીના દાંતમાંથી બનાવવામાં આવે છે. સમાજના રિચ ક્લાસ માટે આ બધી વસ્તુઓ સ્ટેટસ સિમ્બોલ છે અને તેના કારણે જ હાથી દાંત આટલા મોંઘા હોય છે.

હાથી દાંતમાંથી બનાવેલી જ્વેલરીનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવી રહ્યો છે. પ્રાચીન સમયમાં પણ રાજા રજવાડાઓમાં ઉચ્ચ વર્ગના લોકોમાં આવા ઘરેણાંની મોટી માંગ હતી. ઘણી વિશેષ જગ્યાએ આ સામાન્ય સંસ્કૃતિનો ભાગ હતો. આ જ કારણ છે કે હાથીદાંત સોના કરતાં મોંઘા હોય છે.
ધાર્મિક કારણો અને અંધશ્રદ્ધાને કારણે પણ હાથીના દાંતની માંગ રહે છે. હિન્દુ દેવતા શ્રી ગણેશને હાથીના રૂપમાં દર્શાવાયા છે. જેમાં હાથીના દાંતની જેમ દાંત બહાર આવતા જોવા મળે છે. તેથી જ હિન્દુઓમાં પણ તેની ખૂબ માંગ છે.
જો કે હવે વિવિધ દેશોની સરકારોએ હાથી દાંતનો ધંધો ગેરકાયદેસર જાહેર કર્યો છે. આવુ કરવા પર ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમ 9 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. લોકો દાંતના લોભમાં હાથીઓની હત્યા કરે છે. આ જ કારણ છે કે ભારતમાં આજે હાથીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.
તમને જણાવી દઈએ કે, સરકારની સખ્તી છત્તા પણ ભારતમાં સતત હાથી દાંતની દાણચોરી થતી રહે છે. પોલીસ વિવિધ જગ્યાએથી ઘણા લોકો દાણચોરી કરતા લોકોને સતત ઝડપી રહી છે.












Click it and Unblock the Notifications
