આત્માનું કેટલુ વજન હોય છે? જાણો વૈજ્ઞાનિકો શું દાવા કરે છે અને તેમા કેટલી સચ્ચાઈ છે?
કહેવાય છે કે માણસના શરીરનું મોત થાય છે પંરતુ આત્મા અમર છે. જો કે આજ સુધી આત્માને લઈને ઘણા દાવા થાય છે પરંતુ કોઈએ આત્માને જોયો નથી. ત્યારે હવે સવાલ એ છે કે માણસના શરીરમાં આત્માનો વજન કેટલો હોય છે અને તે શરીરમાં ક્યાં હોય છે?
અહેવાલો અનુસાર, વર્ષ 1909 માં ડંકનડૌગલ નામના એક ડૉક્ટરે તેના ચાર સાથીઓ સાથે આત્માનું વજન માપવા કેટલાક પ્રયોગો કર્યા હતા. તેમના આ રિસર્ચમાં કેટલાક ચૌકાવનારા તથ્યોનો ખુલાસો થયો છે. આ પ્રયોગ માટે તેમને મોતની નજીક રહેલા 6 લોકોની પસંદગી કરી હતી.

આ રિસર્ચ અનુસાર, તેમને પહેલા મોત નજીક રહેલા લોકોનું વજન માપ્યુ. ત્યારબાદ મોત બાદ તેમને ફરીથી વજન કર્યુ. આ વજનમાં 21 ગ્રામનો તફાવત જોવા મળ્યો. જો કે તમામ વ્યક્તિમાં આ તફાવત અલગ અલગ જોવા મળ્યા. આ પ્રયોગોની એ સમયે ખુબ ચર્ચા થઈ હતી.
અહેવાલો અનુસાર, આ રિસર્ચમાં ઘણી ખામીઓ. ટીમના જ બે ડોક્ટરોનો ડેટા રિસર્ચમાં સામેલ પણ કરવામાં ન આવ્યો હતો. આ સંશોધનને લઈને લોકો બે જૂથોમાં વહેંચાયેલા જોવા મળ્યા. ડૉ. ડંકન પોતે આ રિસર્ચ સાથે સંપૂર્ણ સંમત નહોતા.
ડૉ. ડંકને તેને માત્ર પ્રાથમિક તપાસ ગણાવી અને તેના વિશે વધુ રિસર્ચ કરવાની વાત કરી હતી. વૈજ્ઞાનિકોએ તેના સંશોધનના પ્રયોગ અને પરિણામને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જો કે આ સંશોધનની આજે પણ ચર્ચા થાય છે.
માણસ સિવાય ડૉ. ડંકને 15 કૂતરા પર પણ આ પ્રયોગ કર્યા હતા. જો તે તેના પરિણામો નેગેટિલ આવ્યા. મૃત્યુ સમયે કુતરાના શરીરમાં કોઈ વજનમાં તફાવત ન જોવા મળ્યો. તેમના મતે, મૃત્યુ સમયે માનવ શરીરના વજનમાં ફેરફાર થાય છે, કારણ કે માણસના શરીરમાં આત્મા હોય છે. શ્વાનના શરીરમાં કોઈ ફેર પડતો નથી, કારણ કે તેના શરીરમાં આત્મા નથી.












Click it and Unblock the Notifications
