મંદિરની જમીન બચાવવા ખુદ ભગવાન શિવ કોર્ટમાં પહોંચ્યા, 14 વર્ષથી ખુદ લડી કહ્યા છે કેસ
ફિલ્મ ઓહ માય ગોડમાં ભરવાન પર કેસ કરવાની ઘટનાનું વર્ણન તમે જોયુ હશે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક જગ્યાએ મંદીર બચાવવા ભગવાન શિવ ખુદ કોર્ટમાં પહોંચ્યા છે.
આ ઘટના બિહારના આરાની છે. અહીં લોકોના સંકટ હરનારા ભગવાન શિવ ખુદ સંકટમાં છે. આજ કારણ છે કે ભગવાન શિવને ખુદ આરા કોર્ટમાં પહોંચવાની ફરજ પડી છે અને 14 વર્ષથી ન્યાય માટે કેસ લડી રહ્યા છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ ઘટનામાં ભગવાન શિવને પરેશાન કરવામાં કોઈ એકલા વ્યક્તિનો હાથ નથી પરંતુ બિહાર સરકાર અને આરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખુદ છે.
અહેવાલો અનુસાર, સર્વેમાં ભગવાનના મંદિરની જમીન ઓછી થઈ હતી. જે બાદ 2011માં ભગવાન સિદ્ધનાથ મંદિરના નામ પર આરા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો, જે હજુ સુધી કોઈ નિર્ણાયક તબક્કે પહોંચી શક્યો નથી.
આખો મામલો બિહારની આરા સિવિલ કોર્ટમાં આરા બિંદ ટોલી સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરના મહાદેવજીના નામે દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો જમીન માપણી સાથે જોડાયેલો છે. અગાઉ સિદ્ધનાથ મહાદેવ મંદિરનું કુલ ક્ષેત્રફળ 1 એકર 37 ડિસમિલ હતું. જો કે જ્યારે ફરીથી સર્વે કરવામાં આવ્યો ત્યારે સરકારે આ વિસ્તાર ઘટાડી દીધો.
આ મામલે મંદિરના મહંત દ્વારા બિહાર સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન આરા, તત્કાલીન મહિલા વોર્ડ કાઉન્સિલર અને અન્ય 7 લોકો વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસનો નંબર 57/11 છે અને 14 વર્ષથી ચાલી રહ્યો છે. હાલ તમામ આરોપીઓની જુબાની ચાલી રહી છે. ભગવાન મહાદેવનો મામલો હજુ સુધી કોઈ પરિણામ પર પહોંચ્યો નથી.
આ બાબતે સિદ્ધનાથ મહાદેવના હાલના મહંત સિદ્ધેશ્વર બાબા કહે છે કે આ મંદિરની સેવા અમારા પૂર્વજોએ શરૂ કરી હતી જે અમે આજે પણ નિભાવી રહ્યા છીએ. જ્યારે મારી માતા સુદામા કુંવર મહંત હતા ત્યારે 2011માં કેસ થયો હતો.
માતાના મૃત્યુ પછી તે હવે હું જોઈ રહ્યો છું. આ કેસની વિસ્તૃત માહિતી આપતા મહંતે જણાવ્યું કે આ સિદ્ધનાથ મહાદેવના નામનું મંદિર છે. સેંકડો વર્ષોથી આ મંદિર પાસે 1 એકર 37 ડેસિમલની પોતાની જમીન હતી, પરંતુ જ્યારે ફરીથી સર્વે કરવામાં આવ્યો ત્યારે સર્વેમાં મંદિરની જમીન સીધી 84 ડિસમિલ થઈ ગઈ.
મંદિરની જમીનનો કેટલોક ભાગ બિહાર સરકાર દ્વારા તેની પોતાની સંપતિ તરીકે જાહેર કરવામાં આવ્યો તો કેટલાક ભાગને આરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનો પોતાનો જાહેર કરી દેવાયો.
બાકીની કેટલીક જમીન ખાનગી મકાન માલિકો દ્વારા સર્વેક્ષણમાં તેમના પોતાના નામે નોંધવામાં આવી હતી. જેના કારણે બિહાર સરકાર, અરાહ મ્યુનિસિપલ કોર્પોરેશન, તત્કાલીન વોર્ડ કાઉન્સિલર અને કેટલાક ખાનગી લોકો સામે મહાદેવજીના નામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
