આ ગામના લોકો વર્ષોથી ઝાડ પર રહેવા મજબુર છે, જાણો શું છે કારણ?
જંગલ વિસ્તારમાં ખેતરોમાં ઘણા ખેડૂતોને તમે ઝાડ પર માચડા બાંધીને રહેતા જોયા હશે. આ ખેડૂતો હિંસક પ્રાણીઓથી બચવા માટે આવુ કરતા હોય છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે એક ગામના પ્રાણીઓ છેલ્લા ઘણા વર્ષોથી ઝાડ પર રહેવા મજબુર છે.
આ ચૌકાવનારી વાત બિહારના સબૌર બ્લોકના શનતનગર બગડેર બગીચા વિસ્તારની છે. આ વિસ્તારમાં કોઈ પક્ષી માટે નહીં પરંતુ માણસો પોતાના માટે માળા બનાવે છે. જો કે આ લોકો આવુ પોતાની મરજીથી નથી કરતા પરંતુ મજબુરી છે.

અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં વરસાદ દરમિયાન પાણી ભરાઈ જાય છે અને પુરો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ સમય દરમિયાન તમામ મકાનોમાં પાણી ભરાઈ જતા આ લોકો ઝાડ પર રહેવા મજબુર છે.
બાબુપુર વિસ્તારમાં આવેલું રજનીપુર એક મોટું ગામ હતું. આ ગામ ધીરે ધીરે ગંગાના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારબાદ આ લોકો શતનગરમાં રહેવા લાગ્યા. આ વિસ્તાર નીચાણવાળા વિસ્તારોને કારણે પૂરના પાણીમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે. જેના કારણે અહીંના લોકો માટે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
અહીં સ્થિતી એટલી ભયાનક છે કે 15 વર્ષથી આ લોકોનું જીવન આમ જ ચાલી રહ્યું છે. દર વર્ષે આ લોકો તેમના નવા ઘર બનાવે છે અને તેમના ઘર પૂરના પાણીમાં ડૂબી જાય છે. પરિણામ એવું આવે છે કે તેમની પાસે ન તો ખાવાનું હોય છે અને ન પહેરવા માટે કપડા હોય છે. દર વર્ષે આ લોકો નવું ઘર બનાવીને પોતાનું જીવન જીવે છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
