Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ ગામના લોકો વર્ષોથી ઝાડ પર રહેવા મજબુર છે, જાણો શું છે કારણ?

જંગલ વિસ્તારમાં ખેતરોમાં ઘણા ખેડૂતોને તમે ઝાડ પર માચડા બાંધીને રહેતા જોયા હશે. આ ખેડૂતો હિંસક પ્રાણીઓથી બચવા માટે આવુ કરતા હોય છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે એક ગામના પ્રાણીઓ છેલ્લા ઘણા વર્ષોથી ઝાડ પર રહેવા મજબુર છે.

આ ચૌકાવનારી વાત બિહારના સબૌર બ્લોકના શનતનગર બગડેર બગીચા વિસ્તારની છે. આ વિસ્તારમાં કોઈ પક્ષી માટે નહીં પરંતુ માણસો પોતાના માટે માળા બનાવે છે. જો કે આ લોકો આવુ પોતાની મરજીથી નથી કરતા પરંતુ મજબુરી છે.

tree House

અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં વરસાદ દરમિયાન પાણી ભરાઈ જાય છે અને પુરો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ સમય દરમિયાન તમામ મકાનોમાં પાણી ભરાઈ જતા આ લોકો ઝાડ પર રહેવા મજબુર છે.

બાબુપુર વિસ્તારમાં આવેલું રજનીપુર એક મોટું ગામ હતું. આ ગામ ધીરે ધીરે ગંગાના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારબાદ આ લોકો શતનગરમાં રહેવા લાગ્યા. આ વિસ્તાર નીચાણવાળા વિસ્તારોને કારણે પૂરના પાણીમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે. જેના કારણે અહીંના લોકો માટે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

અહીં સ્થિતી એટલી ભયાનક છે કે 15 વર્ષથી આ લોકોનું જીવન આમ જ ચાલી રહ્યું છે. દર વર્ષે આ લોકો તેમના નવા ઘર બનાવે છે અને તેમના ઘર પૂરના પાણીમાં ડૂબી જાય છે. પરિણામ એવું આવે છે કે તેમની પાસે ન તો ખાવાનું હોય છે અને ન પહેરવા માટે કપડા હોય છે. દર વર્ષે આ લોકો નવું ઘર બનાવીને પોતાનું જીવન જીવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X