ખાવામાં પીરિયડ્સનું લોહી ભેળવીને આપતી હતી પત્ની, ઈન્ફેક્શન ફેલાવાથી પતિની થઈ આવી હાલત
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે, તેની પત્નીએ તેના પીરિયડનું લોહી ખોરાકમાં ભેળવીને ખવડાવ્યું હતું, જેના કારણે તેને સંક્રમણ થયું હતું.
ગાઝિયાબાદ : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે, તેની પત્નીએ તેના પીરિયડનું લોહી ખોરાકમાં ભેળવીને ખવડાવ્યું હતું, જેના કારણે તેને સંક્રમણ થયું હતું. આ વ્યક્તિએ ગત વર્ષે 12 જૂનના રોજ તેની પત્ની અને તેના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ આરોપોની તપાસ માટે હવે ચાર સભ્યોની મેડિકલ ટીમની રચના કરવામાં આવી છે.

સંક્રમણને કારણે શરીરમાં આવી ગયો સોજો
આ વ્યક્તિએ તેના દાવાઓને સમર્થન આપવા માટે મેડિકલ રિપોર્ટ પણ સબમિટ કર્યો છે. પીડિતાની ફરિયાદ પર પત્ની અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ આઈપીસીનીકલમ 328 (ગુના કરવાના ઈરાદાથી ઝેર વગેરેથી ઈજા પહોંચાડવી) અને 120B (ગુનાહિત કાવતરું) હેઠળ કવિ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવીહતી.
વ્યક્તિએ દાવો કર્યો હતો કે, જ્યારે તે ખોરાક ખાધા બાદ બીમાર પડ્યો, ત્યારે તેણે મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટમાં પુષ્ટિ થઈ કે, ઈન્ફેક્શનને કારણે તેનાશરીરમાં સોજો આવી ગયો હતો.

2015માં લગ્ન કર્યા હતા, હાલ એક પુત્ર પણ છે
નોંધનીય બાબત છે કે, આ વ્યક્તિના લગ્ન વર્ષ 2015માં થયા હતા. બંનેને એક પુત્ર પણ છે. વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની પત્નીએ તેને વારંવાર તેનામાતા-પિતાથી અલગ રહેવા માટે કહ્યું હતું, પરંતુ તે માનતો ન હતો.
જેના કારણે તેમની વચ્ચે નાની-નાની બાબતો પર ઝઘડા થતા હતા. પુરુષે આરોપ મૂક્યો હતો કે,મહિલાના માતા-પિતા અને તેના ભાઈએ તેણીને તેમના ખોરાકમાં "ઝેર" નાંખવા અને તેની વિરુદ્ધ "વિવિધ પ્રકારની મેલીવિદ્યા"નો ઉપયોગ કરવા માટે ઉશ્કેરી હતી.

રાત્રિભોજન સાથે માસિક રક્ત મિશ્રિત
ફરિયાદમાં કહેવાયું છે કે, વ્યક્તિના માતા-પિતા રોજ-રોજના ઝઘડાથી કંટાળીને ઘર છોડીને સગા-સંબંધીઓ પાસે રહેવા ગયા હતા. જે બાદ જ પત્નીએ તેના ભોજનમાંમાસિક ધર્મનું લોહી મિક્સ કર્યું અને તેને રાત્રિભોજન માટે આપ્યું હતું.
જ્યારે પુરુષને પૂછવામાં આવ્યું કે, તેને આ વિશે કેવી રીતે ખબર પડી, તો તેના જવાબમાં તેણે કહ્યુંકે, તેની પત્ની અને તેની માતા વચ્ચેની ફોન પર વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી.

ચાર સભ્યોની મેડિકલ ટીમ તપાસ કરશે
તે વ્યક્તિએ કહ્યું કે, પછી તેણે જિલ્લા વહીવટી તંત્રને પત્ર લખીને એફઆઈઆર નોંધવાની વિનંતી કરી હતી. એક વર્ષથી વધુ સમયની તપાસ બાદ પોલીસે ચીફમેડિકલ ઓફિસરને પત્ર લખીને આ મામલે મેડિકલ બોર્ડની રચના કરવા વિનંતી કરી હતી.
આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મેડિકલ પેનલવ્યક્તિ દ્વારા સબમિટ કરાયેલા ટેસ્ટ રિપોર્ટની તપાસ કરશે અને તપાસ કરશે કે, તેના દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાચા છે કે નહીં. મેડિકલ બોર્ડમાં જનરલપ્રેક્ટિશનર, ગાયનેકોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ અને ઓર્થોપેડિક સર્જન હોય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
