ભારતના આ ગામમાં દરેક ઘરમાં એક વ્યક્તિ ડોક્ટર છે, જાણો ક્યાં આવેલુ છે આ ગામ?
બિહારના કેટલાક ગામો વિશે કહેવાય છે કે ત્યાં ઘણા ગામોમાં દરેક ઘરમાં એક આઈપીએસ કે આઈએએસ જોવા મળે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દેશમાં જ એક એવુ ગામ છે જ્યાં દરેક ઘરમાં એક ડોક્ટર જોવા મળે છે.
આપણે જે ગામની વાત કરી રહ્યા છીએ તે મહારાષ્ટ્રમાં સ્થિત છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલું ખરીવલી ગામ ત્યાંના ડોક્ટરોને કારણે જાણીતું છે. આ ગામમાં લગભગ ત્રીસ પરિવાર રહે છે અને પરિવારોમાં મોટા ભાગના લોકો ડૉક્ટરો છે.

આ ગામની એક ખાસ વાત એ છે કે અહીંના પરિવારો પોતાના બાળકો ભવિષ્યમાં પણ ડોક્ટર બનતા રહે કે માટે સતત મહેનત કરતા રહે છે. અહીંના બાળકોને શરૂઆતથી જ ડોક્ટર બનવા માટે પ્રેરિત કરાય છે.
આ ગામમાં બાળકોને શીખવાડમાં આવે છે કે આ દુનિયામાં કોઈનો જીવ બચાવવા સિવાય બીજું કંઈ જ મહત્વનું નથી. અહીંના તમામ પરિવારો સામાન્ય આર્થિક સ્થિતિના છે તેમ છતાં તેમના બાળકો દર ડોક્ટર બનવા તરફ આગળ વધે છે.
આ ગામમાં ડોક્ટર બનવાની શરૂઆત વર્ષ 2000થી શરૂ થઈ હતી. અહીં રહેચા સંજય પાટીલ MBBSની ડિગ્રી મેળવનારા પ્રથમ ડોક્ટર હતા. તે ડૉક્ટર બન્યા ત્યારે તેમના પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થયો અને સમાજમાં તેમનું અને તેમના સમગ્ર પરિવારનું સન્માન પણ વધ્યું. આ પછી ગામના દરેક બાળકમાં ડૉક્ટર બનવાનું સપનું ખીલવા લાગ્યું. પરિવારના સભ્યોના સહકારને કારણે બાળકો પણ ડોક્ટર બનવા માટે સખત મહેનત કરવા લાગ્યા. આ જ કારણ છે કે આજે તમને આ ગામના દરેક ઘરમાં એક ડોક્ટર જોવા મળશે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
