હોટલમાં બેડ પર સફેદ ચાદર જ કેમ પાથરવામાં આવે છે? મોટાભાગના લોકો આમ કરવા પાછળનું કારણ નથી જાણતા
તમે પણ ક્યારેક હોટલમાં રોકાયા હશો તો એક વાત ચોક્કસ નોટ કરી હશે કે હોટલમાં બેડ પર સફેદ ચાદર જ પાથરવામાં આવે છે. તમને વિચાર આવ્યો કે આવુ કેમ કરવામાં આવે છે?
હોટલોના બેડ પર સફેદ ચાદર હોવા પાછળના ઘણા કારણ છે. સફેદ રંગ શાંતિ અને સુલેહનું પ્રતીક છે. સફેદ ચાદરથી શાંતિ અને સકારાત્મક વાઇબ્સ અનુભવાય છે અને મનને આરામ અને પ્રસન્નતા મળે છે. આ કારણે સફેદ ચાદર પાથરાય છે.

સફેદ ચાદરમાં શાંતિથી ઊંઘ આવે છે. હોટલોમાં આવતા મહેમાનો રૂમમાં ખૂબ જ રિલેક્સ ફિલ કરે છે. સફેદ રંગ સ્વચ્છતાના ધોરણોને સાબિત કરવાનું સરળ બનાવે છે. આનાથી હોટેલ રૂમ ખૂબ જ લક્ઝુરિયસ લાગે છે.
આ સિવાય એક કારણ એ પણ છે કે સફેદ ચાદર સાફ કરવી સરળ છે. હોટેલના તમામ રૂમમાં સફેદ ચાદર પાથરવામાં આવે છે ત્યારે તમામ ચાદર એક સાથે ક્લોરીનમાં સાફ થઈ જાય છે. જો સફેદને બદલે અન્ય રંગની ચાદર હોય તો રંગ ફિક્કા પડલા લાગે છે.
રંગીન ચાદર એકસાથે ધોવામાં આવે છે ત્યારે ચાદરનો રંગ એકબીજા પર ચઢી જવાની સંભાવના છે. આ જ કારણ છે કે સફેદ ચાદરની પસંદગી કરવામાં આવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે 1990ના દાયકા સુધી હોટલોમાં રંગીન ચાદરનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ એક સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે રંગબેરંગી ચાદરમાં ડાઘ અને ગંદકી દેખાતી નથી અને તે ગંદી જ રહી જાય છે. ત્યારબાદ સફેદ ચાદરનો ઉપયોગ શરૂ થયો.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
