For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2જી માટે પૂર્વ IASએ 35000 કરોડની પ્રવેશ ફીની ભલામણ કરી હતી

|
Google Oneindia Gujarati News

2g-scam
નવી દિલ્હી, 19 ઑક્ટોબર : દેશના એક પૂર્વ આઇએએસ અધિકારીએ દાવો કર્યો છે કે તેમણે 2જી સ્પેક્ટ્રમ માટે રૂપિયા 35,000 કરોડની પ્રવેશ ફી લેવાની ભલામણ કરી હતી. આ રકમ પહેલા જે રકમથી ફાળવણી કરવામાં આવી હતી તે રૂપિયા 1,658 કરોડ રૂપિયાથી 21 ગણી વધીરે છે.

પૂર્વ કેબિનેટ સચિવ કે એમ ચંદ્રશેખરે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)માં ગવાહી આપતા કહ્યું કે સરકારની આવક વધારવા માટે વર્ષ 2007માં વડાપ્રધાન મનમોહન સિંહને મોકલવામાં આવેલા એક સંદેશામાં તેમણે વધારે રકમની ભલામણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ચંદ્રશેખર જૂન 2007થી જુલાઇ 2011 સુધી કેબિનેટ સચિવ રહ્યા હતા. કોંગ્રેસના સાંસદ પી સી ચાકોની અધ્યક્ષતાવાળી સમિતિએ તેમને નવેમ્બર 2007માં મનમોહનસિંહના કહેવાથી તેમને પત્ર મોકલી આપ્યો હતો. જેપીસીની બેઠક બાદ ચાકોએ આ અંગેની માહિતી આપી હતી.

English summary
2G scam : former IAS note suggested PM of huge loss.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X