4 કારણો; કિસાન વિકાસ પત્ર કેમ ખરીદના ના જોઇએ?
કેન્દ્ર સરકારે બજેટ 2014માં કિસાન વિકાસ પત્ર (કેવીપી - KVP) ફરી રજૂ કર્યા છે. જો કે બે વર્ષ પહેલા તેને બંધ કરી દેવામાં આવ્યા હતા. બજારમાં નાણાની પ્રવાહિતાનો પ્રશ્ન ઉપસ્થિત થતા તેને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે કિસાન વિકાસ પત્રમાં કેટલું વ્યાજ મળશે, કેટલા સમય માટે છે વગેરે જેવી એક પણ વિગત સરકારે જાહેર કરી નથી. આથી જો કિસાન વિકાસ પત્રો પહેલાની જેમ જ શરૂ કરવામાં આવ્યા છે તો રોકાણકારો માટે ફાયદાકારી વિકલ્પ નથી.
શા માટે ફાયદાકારી નથી? તેના કારણો જાણવા માટે આગળ ક્લિક કરતા જાવ...

1 - કર મુક્તિ નથી મળતી
પોસ્ટ ઓફિસની નાની બચતની યોજનાઓમાં કલમ 80C હેઠળ કર મુક્તિ મળે છે. જો કે કિસાન વિકાસ પત્રોમાં આવી કરમુક્તિ કે અન્ય કોઇ કરલાભ મળતો નથી. આ કારણે તે ખાસ લાભદાયક નથી.

2 - KVPનું વ્યાજ કરપાત્ર છે
પીપીએફમાં જેમ વ્યાજ કરમુક્ત છે તેમ કિસાન વિકાસ પત્રમાં નથી. કેવીપીનું વ્યાજ કરપાત્ર છે. જેના કારણે તે સારો રોકાણ વિકલ્પ નથી.

3 - બેંકો કરતા વ્યાજ ઓછું
વળી કિસાન વિકાસ પત્રમાં સારું વ્યાજ મળતું હોય તેવું પણ નથી. કિસાન વિકાસ પત્રો બેંકોની સરખામણીએ ઓછું વ્યાજ આપે છે.

4 - ઝંઝટવાળું કામ
કિસાન વિકાસ પત્રોમાં રોકાણ કર્યા બાદ કામકાજની ઝંઝટ વધી જાય છે. જ્યારે બેંકોમાં રોકાણ કર્યા બાદ તે સરળતાથી પાછું મળી શકે છે. આ કારણે તે યોગ્ય વિકલ્પ નથી.












Click it and Unblock the Notifications
