ટેક્સ સેવિંગ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ અંગે 6 હકીકતો
ટેક્સ સેવિંગ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80(C) હેઠળ કર લાભ આપે છે. આનો અર્થ એ થયો કે આપની આવક કરપાત્ર હોય અને તમે આ ડિપોઝિટમાં રોકાણ કરો છો તે તેટલી રકમ આપની કરપાત્ર આવકમાંથી બાદ મળે છે. જેના કારણે આપની ટેક્સની જવાબદારી ઘટે છે.
આ પ્રકારની ડિપોઝિટ્સ છેલ્લા કેટલાક વર્ષોમાં લોકપ્રિય બની છે. આજે આ પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ કર બચતના મુખ્ય લોકપ્રિય સાધનો પૈકી એક બન્યું છે. અહીં અમે કર લાભ આપતી ફિક્સ્ડ ડિપોઝિટ અંગે જાણવા જેવી 7 હકીકતો જણાવી રહ્યા છીએ...

સંયુક્ત નામ ધરાવતી ડિપોઝિટમાં બંને હોલ્ડર્સને લાભ મળતો નથી
જો આપે સંયુક્ત નામે કરલાભ આપતી બેંક ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કર્યું હોય તો સંયુક્ત નામ ધરાવતા તમામ હોલ્ડર્સને તેનો લાભ મળતો નથી. આ ડિપોઝિટનો લાભ ફક્ત પ્રથમ નામ ધરાવનારા હોલ્ડરને જ મળે છે.

સર્ટિફિકેટ્સમાં ચકાસણી અવશ્ય કરો
આપના હાથમાં જ્યારે પણ ફિક્સ્ડ ડિપોઝિટ આવે છે ત્યારે તે ટેક્સ સેવિંગ ફિક્સડ ડિપોઝિટ જ છે ને તે અવશ્ય ચેક કરી લેવું જોઇએ. કારણ કે કેટલીકવાર બેંકો ભૂલથી તેને રૂટિન ફિક્સ ડિપોઝિટ બનાવી દેતા હોય છે. આ કારણે જ્યારે તમે ફિક્સ ડિપોઝિટ સર્ટિફિકેટ મેળવો ત્યારે ચકાસણી અવશ્ય કરો.

ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટનું વ્યાજ કરપાત્ર
આ ફિક્સ ડિપોઝિટ આપને કરલાભ અવશ્ય આપે છે, પરંતુ તેનું વ્યાજ કરપાત્ર છે.

ઓટો સ્વીપનો લાભ મળતો નથી
ઓ એકાઉન્ટ પર ઓટો સ્વીપનો લાભ મળતો નથી. આથી જ્યારે આપ ચેક ઇશ્યુ કરો છો ત્યારે એમ ના સમજવું કે બેંક ઓટોમેટિક આપના ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટમાંથી સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે.

વર્ષનો લાંબો લોક ઇન પીરિયડ
આ પ્રકારની એફડીમાં લોક ઇન પીરિયડ પાંચ વર્ષનો હોય છે. જેના કારણે આપ ઇમર્જન્સીમાં પૈસા ઉપાડી શકતા નથી. આ પૈસા લોક ઇન પિરિયડ દરમિયાન પ્રથમ હોલ્ડરના મરણ થાય તો જ ઉપાડી શકાય છે.

સાચો પાન નંબર
આપ જ્યારે ટેક્સ સેવિંગ ફિક્સડ ડિપોઝિટનું સર્ટિફિકેટ મેળવો ત્યારે અવશ્ય ચેક કરો કે તેમાં જો પાન નંબર લખવામાં આવ્યો હોય તો તે આપનો સાચો નંબર લખ્યો છે કે નહીં.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
