7th Pay Commission : મોંઘવારી ભથ્થાનો બદલાયો નિયમ, કર્મચારીઓને થશે લાભ કે નુકસાન? જાણો
7th Pay Commission : જો તમે અથવા તમારા પરિવારમાં કોઇ સરકારી કર્મચારી છો, તો આ અહેવાલ તમારા માટે ખાસ છે. કેન્દ્ર સરકાર તરફથી 1 જાન્યુઆરીના રોજથી લાગૂ થનારા મોંઘવારી ભથ્થાની જાહેરાત માર્ચમાં કરી દેવામાં આવી છે.
જે બાદ મોદી સરકાર દ્વારા આગામી મોંઘવારી ભથ્થું જુલાઈથી લાગુ કરવામાં આવશે. આ વચ્ચે સંભાવના છે કે, સપ્ટેમ્બર મહિનામાં સરકાર દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવશે.

4 ટકાના વધારાની શક્યતા
નિષ્ણાતોને આશા છે કે, સરકાર જાન્યુઆરીથી મે સુધીના AICPI ઇન્ડેક્સ ડેટાના આધારે DAની જાહેરાત કરશે. આ વખતે પણ સરકાર તરફથી DAમાં 4 ટકાનો વધારો થઈ શકે છે.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વખતે સરકાર દ્વારા ડીએ વધારવા માટે નવી ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી શકે છે.
7th Pay Commission હેઠળ જાન્યુઆરીમાં ડીએમાં વધારો થયા બાદ કર્મચારીઓનો ડીએ વધીને 42 ટકા થઈ ગયો છે.
મોંઘવારી ભથ્થાની ગણતરીની પદ્ધતિમાં ફેરફાર!
સૂત્રોનો દાવો છે કે, આ વખતે શ્રમ મંત્રાલયે મોંઘવારી ભથ્થાની ગણતરીમાં ફેરફાર કર્યો છે. મંત્રાલયે 2016 માં મોંઘવારી ભથ્થાનું આધાર વર્ષ બદલ્યું અને વેતન દર ઈન્ડેક્સ (WRI-વેજ દર ઈન્ડેક્સ)ની નવી સીરિઝ બહાર પાડી છે.
શ્રમ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આધાર વર્ષ 2016 = 100 સાથે WRIની નવી સીરિઝે આધાર વર્ષ 1963-65ની જૂની સીરિઝને બદલી નાખી છે.
કેવી રીતે કરશો ગણતરી
7th Pay Commission મોંઘવારી ભથ્થાની ગણતરી વર્તમાન દરને બેઇઝિક પગાર સાથે ગુણાકાર કરીને કરવામાં આવે છે. ટકાવારીનો વર્તમાન દર 12 ટકા છે, જો તમારો બેઇઝિક પગાર રૂપિયા 56,900 DA (56,900 x12)/100 છે.
મોંઘવારી ભથ્થાની ટકાવારી = છેલ્લા 12 મહિનાની CPI ની સરેરાશ જે પણ આવે છે, તેને 115.76 વડે ભાગવામાં આવે છે. જે સંખ્યા આવશે, તેને 100 વડે ગુણાકાર કરવામાં આવશે.
શું મોંઘવારી ભથ્થા પર ટેક્સ લાગશે?
મોંઘવારી ભથ્થું સંપૂર્ણપણે કરપાત્ર આવક છે. દેશમાં આવકવેરાના નિયમો હેઠળ, આવકવેરા રિટર્ન (ITR)માં મોંઘવારી ભથ્થા વિશે અલગથી માહિતી આપવી પડે છે.
શું છે મોંઘવારી ભથ્થું?
મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને પગાર તરીકે મળતા નાણાંનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ્ય વધતી જતી મોંઘવારીને કારણે વધતા ખર્ચની ભરપાઈ કરવાનો છે.
સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત (જાન્યુઆરી અને જુલાઈ) વધારો કરવાની જોગવાઈ છે. દેશભરમાં સરકારી કર્મચારીઓનો ડીએ સરખો નથી. તે નોકરીના સ્થાન, વિભાગ અને અન્ય બાબતોની વરિષ્ઠતાના આધારે બદલાઈ શકે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
