AESL share price : શાનદાર રિટર્ન આપી શકે છે અદાણીની આ કંપની, જાણી લો આંકડા
AESL share price : અદાણી ગ્રૂપની અગ્રણી કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) એ નાણાકીય વર્ષ 2025ની ચોથી ત્રિમાસિક ગાળામાં શાનદાર પ્રદર્શન કર્યુ છે.
પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન અને સ્માર્ટ મીટરિંગ જેવા મુખ્ય ક્ષેત્રોમાં મજબૂતીના કારણે કંપનીએ રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. કંપનીના શેરમાં ગયા એક મહિનામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.

AESLના શેર ગુરુવારે 914.20 રૂપિયા પર બંધ થયા, જે અગાઉના બંધ ભાવ 895.10 રૂપિયાની સરખામણીએ લગભગ 2%નો વધારો દર્શાવે છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેરે 9.07%નું વળતર આપ્યું છે, જ્યારે એક મહિનામાં 12.01%ની છલાંગ લગાવી છે. કંપનીનું બજાર મૂડીકરણ હવે 91,177.35 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની તરીકે AESLનું નેટવર્ક 16 રાજ્યોમાં ફેલાયેલું છે. કંપની પાસે 25,700 સર્કિટ કિલોમીટરથી વધુનું ટ્રાન્સમિશન નેટવર્ક અને 84,100 એમવીએની ટ્રાન્સફોર્મેશન ક્ષમતા છે. તેના ત્રણ મુખ્ય વ્યવસાયો ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન અને સ્માર્ટ મીટરિંગ સતત વિસ્તરી રહ્યા છે.
ચોથા ક્વાર્ટરમાં કંપનીએ 140 સીકેએમનું નવું નેટવર્ક ઉમેર્યું, જેનાથી કુલ નેટવર્ક 26,696 સીકેએમ સુધી પહોંચ્યું. આ ઉપરાંત 2,800 કરોડનો મુંદ્રા પ્રોજેક્ટ અને 2,200 કરોડનો મોટો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ પણ મેળવ્યો છે. કંપનીની નિર્માણાધીન ઓર્ડર બુક 59,936 કરોડ રૂપિયા સુધી પહોંચી છે, જે વર્ષની શરૂઆતમાં માત્ર 17,000 કરોડ હતી.
સ્માર્ટ મીટરિંગમાં પણ AESLએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. ચોથા ક્વાર્ટર સુધીમાં 31 લાખ સ્માર્ટ મીટર લાગી થઈ ચૂક્યા છે. કંપની FY26 સુધીમાં 60-70 લાખ વધુ મીટર લગાવવાની યોજના ધરાવે છે, જ્યારે વર્ષના અંત સુધીમાં 1 કરોડ સ્માર્ટ મીટરનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભારતમાં હજુ 97 મિલિયન સ્માર્ટ મીટર સ્થાપવાના બાકી છે, જે આ ક્ષેત્રે કંપની માટે વિશાળ તકો દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 4,684 કરોડથી વધીને 6,000 કરોડ રૂપિયા થઈ, એટલે કે 24%નો વધારો થયો છે. નેટ નફો 73%ના ઉછાળા સાથે 325 કરોડથી વધીને 562 કરોડ રૂપિયા થયો છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સનું આ પ્રદર્શન દર્શાવે છે કે કંપનીએ ન માત્ર તેનું માળખું મજબૂત કર્યું છે, પરંતુ રોકાણકારોનો વિશ્વાસ પણ જીતી લીધો છે.
નોંધ: ઉપરોક્ત લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે, અને તેને કોઈપણ રોકાણ સલાહ તરીકે ગણવો જોઈએ નહીં. વન ઇન્ડિયા ગુજરાતી તેના વાચકો/પ્રેક્ષકોને કોઈપણ નાણાં સંબંધિત નિર્ણય લેતા પહેલા તેમના નાણાકીય સલાહકારોની સલાહ લેવાનું સૂચન કરે છે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
