AESL share price : શાનદાર રિટર્ન આપી શકે છે અદાણીની આ કંપની, જાણી લો આંકડા
AESL share price : અદાણી ગ્રૂપની અગ્રણી કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) એ નાણાકીય વર્ષ 2025ની ચોથી ત્રિમાસિક ગાળામાં શાનદાર પ્રદર્શન કર્યુ છે.
પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન અને સ્માર્ટ મીટરિંગ જેવા મુખ્ય ક્ષેત્રોમાં મજબૂતીના કારણે કંપનીએ રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. કંપનીના શેરમાં ગયા એક મહિનામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.

AESLના શેર ગુરુવારે 914.20 રૂપિયા પર બંધ થયા, જે અગાઉના બંધ ભાવ 895.10 રૂપિયાની સરખામણીએ લગભગ 2%નો વધારો દર્શાવે છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેરે 9.07%નું વળતર આપ્યું છે, જ્યારે એક મહિનામાં 12.01%ની છલાંગ લગાવી છે. કંપનીનું બજાર મૂડીકરણ હવે 91,177.35 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની તરીકે AESLનું નેટવર્ક 16 રાજ્યોમાં ફેલાયેલું છે. કંપની પાસે 25,700 સર્કિટ કિલોમીટરથી વધુનું ટ્રાન્સમિશન નેટવર્ક અને 84,100 એમવીએની ટ્રાન્સફોર્મેશન ક્ષમતા છે. તેના ત્રણ મુખ્ય વ્યવસાયો ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન અને સ્માર્ટ મીટરિંગ સતત વિસ્તરી રહ્યા છે.
ચોથા ક્વાર્ટરમાં કંપનીએ 140 સીકેએમનું નવું નેટવર્ક ઉમેર્યું, જેનાથી કુલ નેટવર્ક 26,696 સીકેએમ સુધી પહોંચ્યું. આ ઉપરાંત 2,800 કરોડનો મુંદ્રા પ્રોજેક્ટ અને 2,200 કરોડનો મોટો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ પણ મેળવ્યો છે. કંપનીની નિર્માણાધીન ઓર્ડર બુક 59,936 કરોડ રૂપિયા સુધી પહોંચી છે, જે વર્ષની શરૂઆતમાં માત્ર 17,000 કરોડ હતી.
સ્માર્ટ મીટરિંગમાં પણ AESLએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. ચોથા ક્વાર્ટર સુધીમાં 31 લાખ સ્માર્ટ મીટર લાગી થઈ ચૂક્યા છે. કંપની FY26 સુધીમાં 60-70 લાખ વધુ મીટર લગાવવાની યોજના ધરાવે છે, જ્યારે વર્ષના અંત સુધીમાં 1 કરોડ સ્માર્ટ મીટરનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભારતમાં હજુ 97 મિલિયન સ્માર્ટ મીટર સ્થાપવાના બાકી છે, જે આ ક્ષેત્રે કંપની માટે વિશાળ તકો દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 4,684 કરોડથી વધીને 6,000 કરોડ રૂપિયા થઈ, એટલે કે 24%નો વધારો થયો છે. નેટ નફો 73%ના ઉછાળા સાથે 325 કરોડથી વધીને 562 કરોડ રૂપિયા થયો છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સનું આ પ્રદર્શન દર્શાવે છે કે કંપનીએ ન માત્ર તેનું માળખું મજબૂત કર્યું છે, પરંતુ રોકાણકારોનો વિશ્વાસ પણ જીતી લીધો છે.
નોંધ: ઉપરોક્ત લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે, અને તેને કોઈપણ રોકાણ સલાહ તરીકે ગણવો જોઈએ નહીં. વન ઇન્ડિયા ગુજરાતી તેના વાચકો/પ્રેક્ષકોને કોઈપણ નાણાં સંબંધિત નિર્ણય લેતા પહેલા તેમના નાણાકીય સલાહકારોની સલાહ લેવાનું સૂચન કરે છે
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
