'અમીર' લોકો પર ટેક્સ લગાવવા પર વિચાર કરવો જોઇએ: ચિદંબરમ

પી. ચિદંબરમે કહ્યું હતું કે હું સ્થાયી કર દરોમાં વિશ્વાસ રાખુ છું. જો કે મારે એમ માનવું પડશે કે આવા સમયે જ્યારે અર્થવ્યવસ્થા અને સરકારને બંણે સંસાઘનોની વ્યવસ્થા છે, ત્યારે વધારે ધનવાન લોકોએ સ્વેચ્છાએ થોડો વધારે ટેક્સ ચુકવવો જોઇએ.
પી. ચિદંબરમે એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે એનો મતલબ એ નથી કે ટેક્સનો દર સ્થાયી ન હોવો જોઇએ. મને લાગે છે કે અમારા ટેક્સ દરમાં સ્થાયિત્વ હોવું જોઇએ, પરંતુ અમારે આ ચર્ચા પર વિચાર કર્યો જોઇએ કે શું ખૂબ વધારે ધનવાન લોકોને કેટલાક અવસરોમાં થોડો વધારે ટેક્સ ચુકવવાનું કહેવું જોઇએ.
જો કે પી. ચિદંબરમે એમ પણ કહ્યું છે કે આ તેમનો વિચાર નથી, જો કે એક ચર્ચા છે જે મેં સાંભળી છે અને હું તેનું પુનરાવર્તન કરી રહ્યો છું. આવતા મહિને રજૂ થનાર બજેટ પર પી. ચિદંબરમે કહ્યું હતું કે ચુંટણીને ધ્યાનમાં રાખી બજેટ બનાવવામાં નથી આવતું. ચુંટણી બજેટથી 14 મહિના દૂર છે. બજેટ એક જવાબદાર બજેટ હશે.
નાણામંત્રી પી. ચિદંબરમે કહ્યું હતું કે જો 28 ફેબ્રુઆરીએ તે બતાવી શકીએ કે સરકારે રજકોષીય નુકસાનને 5.3 ટકાથી નીચે રાખ્યું અને જો બજેટ અનુમાનોથી ખબર પડે તો આગામી નાણાં વર્ષમાં રાજકોષીય નુકસાન 4.8 ટકાથી નીચે રહેશે તો તે આગામી વર્ષે રાજસ્વ વૃદ્ધિમાં સારા વધારાની આશા વ્યક્ત કરી શકીએ.
પી. ચિદંબરમે કહ્યું હતું કે હું સમજું છે કે આ તે સમય હશે જ્યારે રેટીંગ એજન્સીઓને અહીંથી આગળ વધારવા અંગે વિચાર કરવો જોઇએ. મારો મતલબ પરિદ્રશ્યમાં સુધારો અને રેટીંગમાં સુધારાથી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન સી. રંગરાજન સહિત વિભિન્ન વિશેષજ્ઞોએ વધારે અમીર લોકો પર વધુ ટેક્સ લગાવવાની જરૂરિયાત પર જોર આપ્યું છે.
ગઇકાલે વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજીએ કહ્યું હતું કે વધારે ધનવાન લોકો પર વધુ ટેક્સ લગાવવાનું સૂચન 'રાજકીય' રીતે સાચું છે પરંતુ તેમને આ પ્રસ્તાવને વાસ્તવમાં લાગૂ કરવાની સરકારની ઇચ્છાશક્તિ પર શંકા વ્યક્ત કરી હતી.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
