PM નરેન્દ્ર મોદીનું સૂચન : બેંકો કેશલેસ ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકે
મુંબઇ, 3 જાન્યુઆરી : પુનામાં બેંકિંગ સેક્ટરમાં રિફોર્મ માટે આયોજિત બે દિવસના 'જ્ઞાન સંગમ'નો આજે બીજો અને અંતિમ દિવસ હતો. ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુંબઇમાં યોજાયેલી આઈસીઆઈસીઆઈ ગ્રુપની 60મી વર્ષગાંઠે નિમિત્તની ઇવેન્ટમાં તેમણે બેંકોને કેશ લેસ ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકવા સૂચન કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેશલેસ ટ્રાન્ઝેક્શન્સમાં વધારો કરી બ્લેકમનીની હેરફેર પર નિયંત્રણ લગાવી શકાય એમ છે. આ ઇવેન્ટમાં તેમણે ગુજરાતના આકોદરા ગામને ડિજીટલ ગામ તરીકે દેશને સમર્પિત કર્યું હતું.

આઈસીઆઈસીઆઈ ગ્રુપે આ ગામને દેશના સૌપ્રથમ ડિજીટલ ગામ તરીકે વિકસિત કર્યું છે. આ ગામમાં બેન્કિંગ, પેમેન્ટ, હેલ્થકેર અને એજ્યુકેશનમાં ટેક્નૉલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. વાઈ ફાઈથી સજ્જ આ ગામની સૌથી મોટી ખૂબી એ છે કે અહીંયા તમામ ટ્રાન્ઝેક્શન્સ કેશલેસ રાખવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સથી કાળા નાણાંની હેરફેરની સમસ્યા ટાળી શકાય છે.
આઈસીઆઈસીઆઈ ગ્રુપએ ગુજરાતના અકોદરા ગામડાને ડિઝિટલ ગામડું બનાવ્યું છે. આ ગામમાં આઈસીઆઈસીઆઈ બેન્કે સેવાઓ આપી છે. આઈસીઆઈસીઆઈ બેન્કને 60 વર્ષ પૂરા થવાના અવસરે પ્રધાનમંત્રીએ કહ્યુ કે બેન્કોની વચ્ચે આ વાતની હરિફાઈ હોવી જોઈએ કે કઈ બેન્ક કેટલી કેશલેસ ટ્રાન્જેક્શન કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સોનાનો મોહ છોડવાનું પણ કહ્યુ હતું. તેમનું માનવુ છે તે સારી બેન્કિંગ સેવાઓ થશે તો લોકોને સેવાઓમાં રોકાણ કરવાથી બચશે. બેન્કિંગ સેક્ટરને સામે લોકોએ સોનુ ખરીદવાની સોચથી દૂર રેહવાની સલાહ છે. પ્રધાનમંત્રીએ બેન્કોને સામાજિક કાર્યોમાં સહયોગની સલાહ આપી હતી.
આઈસીઆઈસીઆઈ બેન્કના એમડીએન્ડસીઈઓ ચંદા કોચરે કહ્યું હતું કે આકોદરા ગામને 3સીની વિચારસરણીથી ડેવલપ કરવામાં આવ્યું છે. જેમાં કેશલેસ, કનેક્ટેડ અને કમ્પ્રિહેન્સિવનો સમાવેશ થાય છે.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
