બેંક હડતાળઃ રાહતના સમાચાર, બે દિવસની બેંક હડતાળ ટળી
સામાન્ય જનતા માટે રાહતભર્યા સમાચાર છે કારણકે બેંક ટ્રેડ યુનિયનોએ પ્રસ્તાવિત પોતાની 26 અને 27 સપ્ટેમ્બરની હડતાળ ટાળી દીધી છે.
સામાન્ય જનતા માટે રાહતભર્યા સમાચાર છે કારણકે બેંક ટ્રેડ યુનિયનોએ પ્રસ્તાવિત પોતાની 26 અને 27 સપ્ટેમ્બરની હડતાળ ટાળી દીધી છે. તમને જણાવી દઈએ કે બેંક યુનિયનોએ 10 બેંકોના વિલયના વિરોધમાં હડતાળ પર જવાનુ એલાન કર્યુ હતુ જેને હવે ટાળી દીધુ છે. આ હડતાળ યુનિયન લીડર્સ અને નાણા સચિવ રાજીવ કુમાર વચ્ચે થયેલી બેઠક બાદ ટળી છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (આઈબીએ) એ એસબીઆઈને સૂચિત કર્યુ હતુ કે ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ કૉન્ફેડરેશન (એઆઈબીઓસી), ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ એસોસિએશન (એઆઈબીઓએ), ઈન્ડિયન નેશનલ બેંક ઑફિસર્સ કોંગ્રેસ (આઈએનબીઓસી) અને નેશનલ ઑર્ગેનાઈઝેશન ઑફ બેંક ઑફિસર્સ (એનઓબીઓ) 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હડતાળ પર જવાના છે કે જે હવે નહિ થાય.

સંયુક્ત નિવેદન જારી
ત્યારબાદ એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યુ છે જેમાં કહેવામાં આવ્યુ છે કે નાણા સચિવે બધી ચિંતાઓ વિશે એક સમિતિની રચનાના મુદ્દે સકારાત્મક વલણ દર્શાવ્યુ છે. આ સમિતિ 10 બેંકોને પ્રસ્તાવિત એકીકરણથી જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન આપશે. આમાં બધી બેંકોની ઓળખ જાળવી રાખવાનો મુદ્દો પણ છે એટલા માટે આ વાતચીત બાદ હડતાળનુ આહવાન પાછુ લેવાની અપીલ કરવામાં આવી ત્યારબાદ 26-27 સપ્ટેમ્બરના રોજ બેંકોમાં સામાન્ય દિવસોની જેમ જ કામ થશે.

કેન્દ્રીય ટ્રેડ યુનિયન ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ યુનિયન કોંગ્રેસ
તમને જણાવી દઈએ કે બેંક અધિકારીઓ તેમજ કર્મચારીઓની હડતાળને કેન્દ્રીય ટ્રેડ યુનિયન ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ યુનિયન કોંગ્રેસ (એઆઈટીયુસી) એ સમર્થન આપ્યુ હતુ. તેમના મુજબ બેંકોના વિલય દ્વારા સરકાર ખાનગી ક્ષેત્રની બેંકોને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે એટલા માટે એ લોકો કૉર્પોરેટને સમર્થન આપતી નીતિઓ સામે કાર્યવાહી માટે નેશનલ કન્વેન્શનની તૈયારી કરી રહ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યુ હતુ એલાન
ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટ, 2019 રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે 10 સરકારી બેંકોના મેગા મર્જર (વિલીનીકરણ)ની ઘોષણા કરી હતી. 10 બેંકોનુ વિલીકીરણ કરીને ચાર બેંક બનાવવામાં આવી છે. પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક ઑફ કૉમર્સ અને યુનાઈટેડ બેંકનું એકમાં વિલય કરીને આને દેશની ત્રીજી સૌથી મોટી બેંક બનાવવામાં આવી છે. આનો બિઝનેસ 17.95 લાખ કરોડ રૂપિયા હશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
