ચેક ફ્રોડ અટકાવવા બેંકો ગ્રાહકોને મોકલશે SMS એલર્ટ્સ
બેંકોમાં થતા ચેક ફ્રોડને અટકાવવા માટે હવે બેંકો જે ગ્રાહકો ચેક આપે છે, અથવા જે ગ્રાહકોના ખાતામાંથી નાણાનો ઉપાડ થવાની સાથે જ બેંક એકાઉન્ટ ધારકને એસએમએસ એલર્ટ મોકલવામાં આવશે. આ સેવા કેટલીક બેંકો દ્વારા મર્યાદિત રીતે આપવામાં આવે છે. હવેથી આ સેવા સંપૂર્ણ રીતે અમલમાં મૂકવામાં આવશે.
આ નિર્દેશ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે. આરબીઆઇએ બેંકોને લખેલા એક પત્રમાં આ અંગેની જાણ કરી હતી. આ પત્રમાં બેંકોએ ચેક ફ્રોડ અટકાવવા માટે કેવા પગલાં લેવા જોઇએ તેને સંબંધિત માહિતી લખી હતી. જેમાંથી કેટલાક મુખ્ય પગલાં આ મુજબ છે.'

1. 100 ટકા CTS- 2010 કમ્પ્લેઇન્ટ ચેકનો ઉપયોગ કરવામા્ં આવે.
2. લાભાર્થી કેવાયસી ધરાવતા હોવા જોઇએ જેથી બેંક તેમને ગ્રાહક તરીકે જાળવી શકે.
3. જોખમના આધારે નવા ખુલેલા બેંક ખાતામાં ક્રેડિટ અને ડેબિટ પર નજર
4. બેંકોએ શંકાસ્પદ કે મોટા રકમ વાળા ચેક પર ખાસ નજર રાખવી. આ માટે ગ્રાહકને ફોન દ્વારા જાણ કરવી. નોન હોમ ચેક્સ માટે બેઝ બ્રાન્ચને જાણ કરવી.












Click it and Unblock the Notifications
