રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય, સસ્તી થશે મુસાફરી
ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. દેશમાં સતત ઘટી રહેલા કોરોના કેસ બાદ DGCAએ 27 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. દેશમાં સતત ઘટી રહેલા કોરોના કેસ બાદ DGCAએ 27 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ રેલવે મંત્રાલયે લાંબા સમય બાદ ટ્રેનમાં અનરિઝર્વ્ડ કોચ લગાવવાની વાત કરી છે.

હવે 23 માર્ચ, 2020 પછી શરૂ થશે
રેલવેના આ પગલાથી હવે મુસાફરો સસ્તી મુસાફરી કરી શકશે. હકીકતમાં માર્ચ 2020 માં, દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને 23માર્ચ 2020 થી ટ્રેનમાંથી અનરિઝર્વ્ડ કોચ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કોચ લગાવ્યા બાદ હવે મુસાફરો ટિકિટ બૂક કરાવ્યા વગર મુસાફરી કરી શકશે,જેના કારણે મુસાફરીનો ખર્ચ ઓછો થશે.

ટિકિટ બારી પરથી લઈ શકાશે ટિકિટ
આ ફેરફાર બાદ મુસાફરો સ્ટેશન પર જઈ શકશે અને બારીમાંથી ટિકિટ લઈને તેમના ગંતવ્ય સ્થાને જઈ શકશે. માનવામાં આવે છે કે આ સુવિધા શરૂ થયા બાદ વરિષ્ઠનાગરિકોને પહેલાની જેમ ડિસ્કાઉન્ટ આપવામાં આવી શકે છે. તેમજ હવે પહેલા કરતા વધુ મુસાફરો મુસાફરી કરી શકશે.

શિયાળામાં રદ્દ કરાયેલી ટ્રેન પણ શરૂ થઈ
ડિસેમ્બરમાં વધતી ઠંડી અને ધુમ્મસને કારણે યુપી, બિહાર, એમપી અને ઝારખંડ જતી ઘણી ટ્રેન રદ્દ કરવામાં આવી હતી. હવે આ ટ્રેન 1 માર્ચથી ફરી શરૂ કરવામાં આવીછે. આ નિર્ણયથી આ રૂટ પરના કરોડો મુસાફરોને ફાયદો થશે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
