8th Pay Commission : 8મા પગારપંચ બાબતે સામે આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારથી થશે લાગુ
8th Pay Commission : કેન્દ્રીય કર્મચારી માટે એક મોટી ખુશખબર સામે આવી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જે બાદ કર્મચારીઓના પગારમાં વધારો થઇ ગયો છે. હવે સરકાર તરફથી 8મા પગારપંચને લઇને સારા સમાચાર આપ્યા છે.
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક નવું પગાર પંચ બનાવી શકે છે, જે પછી કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થવાનો છે. વર્ષ 2024માં આઠમા નેકમ કમિશન હેઠળ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થઈ શકે છે.

ક્યારે થશે નવા પગારપંચની કામગીરી?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવા પગારપંચ પર કામ સામાન્ય ચૂંટણી પછી જ થશે. હાલ નવા પગાર પંચને લઈને કર્મચારી યુનિયન વતી આંદોલન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં આંદોલન ચાલી રહ્યું છે. બંગાળ સહિત ઘણા રાજ્યોમાં તેની ખૂબ ચર્ચા ચાલી રહી છે.
નિષ્ણાતોના મતે સરકાર તરફથી અત્યારે 8th Pay Commissionને લઈને કોઈ ચર્ચા થઈ નથી. સંસદમાં પણ આ અંગેની માહિતી મળી છે.
4th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?
- પગાર વધારો - 27.6 ટકા
- ન્યૂનતમ પગાર - 750 રૂપિયા
5th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?
- પગાર વધારો - 31 ટકા
- ન્યૂનતમ પગાર - રૂપિયા 2,550
6th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?
- ફિટમેન્ટ ફેક્ટર - 1.86 વખત
- પગાર વધારો - 54 ટકા
- ન્યૂનતમ પગાર - રૂપિયા 7,000
7th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?
- ફિટમેન્ટ ફેક્ટર - 2.57 વખત
- પગાર વધારો - 14.29 ટકા
- ન્યૂનતમ પગાર - રૂપિયા 18,000
8th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?
- ફિટમેન્ટ ફેક્ટર - 3.68 વખતની શક્યતા
- પગાર વધારો - 44.44 ટકા
- ન્યૂનતમ પગાર - રૂપિયા 26000ની શક્યતા
2024માં થઈ શકે છે નવા પગાર પંચની રચના
અત્રે નોંધનીય છે કે, સરકાર વર્ષ 2024ના અંતમાં નવું પગારપંચ બનાવી શકે છે, અને તેને વર્ષ 2026માં લાગુ કરી શકાય છે. જો આમ થશે, તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સૌથી મોટો વધારો થશે. 8th Pay Commission ની સરખામણીમાં આમાં મોટા ફેરફારો થઈ શકે છે. ઉલ્લેખીય છે કે, લગભગ 10 વર્ષ બાદ પગાર પંચમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નાણા રાજ્ય મંત્રીએ આપી આ માહિતી
આ અગાઉ સંસદમાં માહિતી આપતા સમયે સરકારે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને જોતા તેનો કોઈ ઉલ્લેખ નથી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢી હતી. નિષ્ણાતો માને છે કે, વર્ષ 2024 એ યોગ્ય સમય હશે, જ્યારે સરકાર નવા પગાર પંચ વિશે વિચારશે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
