8th Pay Commission : 8મા પગારપંચ બાબતે સામે આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારથી થશે લાગુ
8th Pay Commission : કેન્દ્રીય કર્મચારી માટે એક મોટી ખુશખબર સામે આવી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જે બાદ કર્મચારીઓના પગારમાં વધારો થઇ ગયો છે. હવે સરકાર તરફથી 8મા પગારપંચને લઇને સારા સમાચાર આપ્યા છે.
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક નવું પગાર પંચ બનાવી શકે છે, જે પછી કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થવાનો છે. વર્ષ 2024માં આઠમા નેકમ કમિશન હેઠળ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થઈ શકે છે.

ક્યારે થશે નવા પગારપંચની કામગીરી?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવા પગારપંચ પર કામ સામાન્ય ચૂંટણી પછી જ થશે. હાલ નવા પગાર પંચને લઈને કર્મચારી યુનિયન વતી આંદોલન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં આંદોલન ચાલી રહ્યું છે. બંગાળ સહિત ઘણા રાજ્યોમાં તેની ખૂબ ચર્ચા ચાલી રહી છે.
નિષ્ણાતોના મતે સરકાર તરફથી અત્યારે 8th Pay Commissionને લઈને કોઈ ચર્ચા થઈ નથી. સંસદમાં પણ આ અંગેની માહિતી મળી છે.
4th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?
- પગાર વધારો - 27.6 ટકા
- ન્યૂનતમ પગાર - 750 રૂપિયા
5th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?
- પગાર વધારો - 31 ટકા
- ન્યૂનતમ પગાર - રૂપિયા 2,550
6th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?
- ફિટમેન્ટ ફેક્ટર - 1.86 વખત
- પગાર વધારો - 54 ટકા
- ન્યૂનતમ પગાર - રૂપિયા 7,000
7th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?
- ફિટમેન્ટ ફેક્ટર - 2.57 વખત
- પગાર વધારો - 14.29 ટકા
- ન્યૂનતમ પગાર - રૂપિયા 18,000
8th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?
- ફિટમેન્ટ ફેક્ટર - 3.68 વખતની શક્યતા
- પગાર વધારો - 44.44 ટકા
- ન્યૂનતમ પગાર - રૂપિયા 26000ની શક્યતા
2024માં થઈ શકે છે નવા પગાર પંચની રચના
અત્રે નોંધનીય છે કે, સરકાર વર્ષ 2024ના અંતમાં નવું પગારપંચ બનાવી શકે છે, અને તેને વર્ષ 2026માં લાગુ કરી શકાય છે. જો આમ થશે, તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સૌથી મોટો વધારો થશે. 8th Pay Commission ની સરખામણીમાં આમાં મોટા ફેરફારો થઈ શકે છે. ઉલ્લેખીય છે કે, લગભગ 10 વર્ષ બાદ પગાર પંચમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નાણા રાજ્ય મંત્રીએ આપી આ માહિતી
આ અગાઉ સંસદમાં માહિતી આપતા સમયે સરકારે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને જોતા તેનો કોઈ ઉલ્લેખ નથી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢી હતી. નિષ્ણાતો માને છે કે, વર્ષ 2024 એ યોગ્ય સમય હશે, જ્યારે સરકાર નવા પગાર પંચ વિશે વિચારશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
