8th Pay Commission : 8મા પગારપંચ બાબતે સામે આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારથી થશે લાગુ
8th Pay Commission : કેન્દ્રીય કર્મચારી માટે એક મોટી ખુશખબર સામે આવી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જે બાદ કર્મચારીઓના પગારમાં વધારો થઇ ગયો છે. હવે સરકાર તરફથી 8મા પગારપંચને લઇને સારા સમાચાર આપ્યા છે.
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક નવું પગાર પંચ બનાવી શકે છે, જે પછી કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થવાનો છે. વર્ષ 2024માં આઠમા નેકમ કમિશન હેઠળ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થઈ શકે છે.

ક્યારે થશે નવા પગારપંચની કામગીરી?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવા પગારપંચ પર કામ સામાન્ય ચૂંટણી પછી જ થશે. હાલ નવા પગાર પંચને લઈને કર્મચારી યુનિયન વતી આંદોલન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં આંદોલન ચાલી રહ્યું છે. બંગાળ સહિત ઘણા રાજ્યોમાં તેની ખૂબ ચર્ચા ચાલી રહી છે.
નિષ્ણાતોના મતે સરકાર તરફથી અત્યારે 8th Pay Commissionને લઈને કોઈ ચર્ચા થઈ નથી. સંસદમાં પણ આ અંગેની માહિતી મળી છે.
4th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?
- પગાર વધારો - 27.6 ટકા
- ન્યૂનતમ પગાર - 750 રૂપિયા
5th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?
- પગાર વધારો - 31 ટકા
- ન્યૂનતમ પગાર - રૂપિયા 2,550
6th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?
- ફિટમેન્ટ ફેક્ટર - 1.86 વખત
- પગાર વધારો - 54 ટકા
- ન્યૂનતમ પગાર - રૂપિયા 7,000
7th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?
- ફિટમેન્ટ ફેક્ટર - 2.57 વખત
- પગાર વધારો - 14.29 ટકા
- ન્યૂનતમ પગાર - રૂપિયા 18,000
8th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?
- ફિટમેન્ટ ફેક્ટર - 3.68 વખતની શક્યતા
- પગાર વધારો - 44.44 ટકા
- ન્યૂનતમ પગાર - રૂપિયા 26000ની શક્યતા
2024માં થઈ શકે છે નવા પગાર પંચની રચના
અત્રે નોંધનીય છે કે, સરકાર વર્ષ 2024ના અંતમાં નવું પગારપંચ બનાવી શકે છે, અને તેને વર્ષ 2026માં લાગુ કરી શકાય છે. જો આમ થશે, તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સૌથી મોટો વધારો થશે. 8th Pay Commission ની સરખામણીમાં આમાં મોટા ફેરફારો થઈ શકે છે. ઉલ્લેખીય છે કે, લગભગ 10 વર્ષ બાદ પગાર પંચમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નાણા રાજ્ય મંત્રીએ આપી આ માહિતી
આ અગાઉ સંસદમાં માહિતી આપતા સમયે સરકારે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને જોતા તેનો કોઈ ઉલ્લેખ નથી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢી હતી. નિષ્ણાતો માને છે કે, વર્ષ 2024 એ યોગ્ય સમય હશે, જ્યારે સરકાર નવા પગાર પંચ વિશે વિચારશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
