Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

8th Pay Commission : 8મા પગારપંચ બાબતે સામે આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારથી થશે લાગુ

8th Pay Commission : કેન્દ્રીય કર્મચારી માટે એક મોટી ખુશખબર સામે આવી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જે બાદ કર્મચારીઓના પગારમાં વધારો થઇ ગયો છે. હવે સરકાર તરફથી 8મા પગારપંચને લઇને સારા સમાચાર આપ્યા છે.

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક નવું પગાર પંચ બનાવી શકે છે, જે પછી કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થવાનો છે. વર્ષ 2024માં આઠમા નેકમ કમિશન હેઠળ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થઈ શકે છે.

8th Pay Commission

ક્યારે થશે નવા પગારપંચની કામગીરી?

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવા પગારપંચ પર કામ સામાન્ય ચૂંટણી પછી જ થશે. હાલ નવા પગાર પંચને લઈને કર્મચારી યુનિયન વતી આંદોલન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં આંદોલન ચાલી રહ્યું છે. બંગાળ સહિત ઘણા રાજ્યોમાં તેની ખૂબ ચર્ચા ચાલી રહી છે.

નિષ્ણાતોના મતે સરકાર તરફથી અત્યારે 8th Pay Commissionને લઈને કોઈ ચર્ચા થઈ નથી. સંસદમાં પણ આ અંગેની માહિતી મળી છે.

4th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?

  • પગાર વધારો - 27.6 ટકા
  • ન્યૂનતમ પગાર - 750 રૂપિયા

5th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?

  • પગાર વધારો - 31 ટકા
  • ન્યૂનતમ પગાર - રૂપિયા 2,550

6th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?

  • ફિટમેન્ટ ફેક્ટર - 1.86 વખત
  • પગાર વધારો - 54 ટકા
  • ન્યૂનતમ પગાર - રૂપિયા 7,000

7th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?

  • ફિટમેન્ટ ફેક્ટર - 2.57 વખત
  • પગાર વધારો - 14.29 ટકા
  • ન્યૂનતમ પગાર - રૂપિયા 18,000

8th Pay Commission દ્વારા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો?

  • ફિટમેન્ટ ફેક્ટર - 3.68 વખતની શક્યતા
  • પગાર વધારો - 44.44 ટકા
  • ન્યૂનતમ પગાર - રૂપિયા 26000ની શક્યતા

2024માં થઈ શકે છે નવા પગાર પંચની રચના

અત્રે નોંધનીય છે કે, સરકાર વર્ષ 2024ના અંતમાં નવું પગારપંચ બનાવી શકે છે, અને તેને વર્ષ 2026માં લાગુ કરી શકાય છે. જો આમ થશે, તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સૌથી મોટો વધારો થશે. 8th Pay Commission ની સરખામણીમાં આમાં મોટા ફેરફારો થઈ શકે છે. ઉલ્લેખીય છે કે, લગભગ 10 વર્ષ બાદ પગાર પંચમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નાણા રાજ્ય મંત્રીએ આપી આ માહિતી

આ અગાઉ સંસદમાં માહિતી આપતા સમયે સરકારે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને જોતા તેનો કોઈ ઉલ્લેખ નથી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢી હતી. નિષ્ણાતો માને છે કે, વર્ષ 2024 એ યોગ્ય સમય હશે, જ્યારે સરકાર નવા પગાર પંચ વિશે વિચારશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X