Budget 2024 : સુરક્ષાને લઈને બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત, જાણો શું વિચારી રહી છે સરકાર?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તેના અંતિમ બજેટમાં સેનાને લઈને મોટી જાહેરાત કરી શકે છે. 1 ફ્રેબ્રુઆરીએ બજેટમાં સુરક્ષાક્ષેત્ર માટે સરકાર કઈંક અલગ વિચારી શકે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, આ વચગાળાનું બજેટ હશે અને તેમાં કોઈ મોટા નિર્ણય લેવાના નથી. જો કે પ્રાપ્ત માહિતી અનુસાર આ બજેટથી સંરક્ષણ ક્ષેત્રને ઘણો ફાયદો થઈ શકે છે.

સરકારી અધિકારીઓ અનુસાર, આ બજેટ સત્રમાં સંરક્ષણ ક્ષેત્ર માટે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. આ અંગે રક્ષા સચિવે કહ્યું છે કે આ બજેટ સત્રમાં સરકારનું ધ્યાન રક્ષા નિકાસ વધારવા પર હોઈ શકે છે.
જણાવી દઈએ કે અત્યાર સુધી ભારતે લગભગ 16000 કરોડ રૂપિયાના સંરક્ષણની નિકાસ કરી છે. અને 20,000 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. રક્ષા મંત્રીએ આપેલી માહિતી મુજબ આમાં ખાનગી ક્ષેત્રનું પણ મહત્વનું યોગદાન છે.
2024માં સંશોધન અને વિકાસ માટે જરૂરી તમામ બાબતો સરકાર દ્વારા બજેટમાં આપવામાં આવશે. આ સિવાય સંરક્ષણ મંત્રાલયની જરૂરિયાતો માટે બજેટમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી. એટલા માટે લોકોને આશા છે કે આ વખતે સંરક્ષણ મંત્રાલયને બજેટમાં પૂરતા પૈસા મળશે.
વચગાળાના બજેટ દરમિયાન સરકાર કોઈ મોટો નિર્ણય લેતી નથી. આવું ત્યારે થાય છે જ્યારે બજેટના થોડા દિવસો બાદ જ ચૂંટણી યોજાય છે. આ વખતે બજેટના થોડા મહિનામાં જ લોકસભાની ચૂંટણી યોજાશે, આ સ્થિતિમાં સરકાર માત્ર જરૂરી ખર્ચ માટે પૈસા ઉપાડવા માટે જ બજેટ બહાર પાડે છે.
આ વચગાળાના બજેટ દરમિયાન આવી ઘણી બાબતો પર ધ્યાન અપાય છે. લોકસભા ચૂંટણી પછી જે પણ સરકાર નિયુક્ત થશે તે સંપૂર્ણ બજેટ લાવશે.












Click it and Unblock the Notifications
