Budget 2024 : છેલ્લુ વચગાળાનું બજેટ કોને રજુ કર્યુ હતુ? કરાઈ હતી આ મહત્વની જાહેરાતો
1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ આવી રહ્યું છે. આ પહેલા મોદી સરકારની પહેલી ટર્મ પુરી થવા વખતે પિયુષ ગોયલે વચગાળાનું બજેટ રજુ કર્યુ હતુ.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ છઠ્ઠી વખત બજેટ ભાષણ આપશે. આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે અને ચૂંટણી બાદ નવી સરકાર બનશે ત્યારબાદ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે.

1 ફેબ્રુઆરીએ રજૂ થનારું બજેટ વોટ ઓન એકાઉન્ટ હશે, જેના માટે સંસદની મંજૂરી લેવામાં આવશે. ગૃહમાંથી મંજૂરી મળ્યા પછી, સરકાર એપ્રિલથી જુલાઈ સુધીના સમયગાળા માટેના ખર્ચને પહોંચી વળવા પ્રમાણસર ધોરણે ભારતના સંકલિત ભંડોળમાંથી નાણાં ઉપાડી શકશે.
છેલ્લી વખત વર્ષ 2019-20 નું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2019ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ વચગાળાનું બજેટ પીયૂષ ગોયલે રજૂ કર્યું હતું. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નાણા મંત્રાલયની જવાબદારી અરુણ જેટલી પાસે હતી. તેમની નાદુરસ્ત તબિયતને કારણે 2019ના બજેટ પહેલા પીયૂષ ગોયલને નાણા મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો હતો.
સરકાર આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વચગાળાના બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવાનું ટાળે છે પરંતુ છેલ્લા વચગાળાના બજેટમાં સરકાર દ્વારા અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી.
કિસાન સન્માન નિધિ
2019 ના વચગાળાના બજેટ દરમિયાન તે સમયે નાણાં પ્રધાનનો કાર્યભાર સંભાળી રહેલા પીયૂષ ગોયલે પ્રથમ વખત વડાપ્રધાન કિસાન સન્માન નિધિની જાહેરાત કરી હતી. આ યોજનામાં દર વર્ષે બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોના ખાતામાં સીધા 6000 આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.
મત્સ્યોદ્યોગ વિભાગની રચના
તત્કાલિન નાણામંત્રી પીયૂષ ગોયલે 2019ના વચગાળાના બજેટમાં અલગ મત્સ્ય વિભાગ બનાવવાની જાહેરાત કરી હતી. મત્સ્યઉદ્યોગના વિકાસ પર સતત અને કેન્દ્રિત ધ્યાન આપવાના ઉદ્દેશ્ય સાથે આ પગલું લેવામાં આવ્યું હતું. નાણા મંત્રાલયે કહ્યું હતું કે આ નિર્ણય સાથે સરકાર આ ક્ષેત્ર પર નિર્ભર 1.45 કરોડ લોકોની આજીવિકા 7 ટકાથી વધુ વધારવા માંગે છે. નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે પશુપાલન અને મત્સ્યઉદ્યોગની પ્રવૃત્તિઓ કરતા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લીધેલી લોન પર બે ટકા વ્યાજની છૂટ આપવામાં આવશે. સમયસર ચુકવણી પર તેમને વ્યાજ પર વધારાનું 3 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
રાષ્ટ્રીય ગોકુલ મિશન
છેલ્લા વચગાળાના બજેટમાં પીયૂષ ગોયલે 750 કરોડ રૂપિયાની ફાળવણી સાથે રાષ્ટ્રીય ગોકુલ મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. ગાયોના ટકાઉ આનુવંશિક સુધારણા અને ગાયોના ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવા માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચનાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ કમિશનને ગાય સંબંધિત કાયદાઓ અને કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ પર નજર રાખવા માટે પણ કહેવામાં આવ્યું.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના
2019 ના વચગાળાના બજેટમાં જ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની પણ જાહેરાત કરવામાં આવી. આ યોજના હેઠળ દર મહિને 100 રૂપિયાના યોગદાનના બદલામાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને 60 વર્ષની ઉંમર પછી પેન્શન તરીકે દર મહિને 3000 રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું.
રેલવેને 1.58 લાખ કરોડ રૂપિયાની ફાળવણી
2019 ના વચગાળાના બજેટમાં ભારતીય રેલ્વે માટે 1.58 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. આ રકમ દેશમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે ખર્ચવાની હતી. તેમના વચગાળાના બજેટ ભાષણમાં તત્કાલિન પ્રભારી નાણામંત્રીએ કહ્યું હતું કે વર્ષ 2018-19 ભારતીય રેલ્વે માટે સૌથી સુરક્ષિત વર્ષ હતું. તેમણે માહિતી આપી કે રેલવેએ દેશમાં બ્રોડગેજ પર સ્થિત તમામ માનવરહિત રેલવે ક્રોસિંગને બંધ કરવામાં સફળતા મેળવી છે. તે જ વર્ષે ગોયલે ભારતીય ટેક્નોલોજી પર આધારિત સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.
ગ્રામીણ અર્થતંત્ર માટે મોટી જાહેરાત
2019-20ના વચગાળાના બજેટ દરમિયાન, ગોયલે ગ્રામ સડક યોજના માટે 19,000 કરોડ રૂપિયાની અંદાજપત્રીય જોગવાઈ કરાઈ હતી. મનરેગા યોજના માટે 60,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.
ગરીબ અને પછાત લોકોના કલ્યાણ માટે જાહેરાતો કરાઈ
છેલ્લા વચગાળાના બજેટમાં શૈક્ષણિક સંસ્થાઓમાં 25 ટકા વધારાની બેઠકો માટે 10 ટકા અનામતની જોગવાઈની જાહેરાત કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે માર્ચ 2019 સુધીમાં દરેક વ્યક્તિને વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવશે જે વીજળી કનેક્શન ઇચ્છે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
