મૂડીઝે વખાણ્યું ચિદમ્બરમનું બજેટ, કહ્યું-ધિરાણ વધશે

મૂડિઝે ભારતની ધિરાણ સંબંધી દ્રષ્ટિકોણમાં જણાવ્યું કે ભારતના બજેટમાં ઋણ પુનર્ગઠનનું યથાર્થવાદી લક્ષ્ય મુકવામાં આવ્યું છે જેના દ્વારા દેશમાં ધિરાણ નિર્ધારણ શાનદાર થઇ શકે છે.
ચિદમ્બરમે 2013-14ના બજેટમાં રાજકોષીય નુકસાનને સમગ્ર ઘરેલુ ઉત્પાદનના 4.8 ટકા કરવાનું લક્ષ્ય આપ્યું છે, જ્યારે ચાલુ નાણાકિય વર્ષ માટે સંશોધિત અનુમાન 5.2 ટકા છે.
રેટિંગ એજન્સીએ જણાવ્યું કે 'વૃદ્ધિદરમાં ઘટાડો અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજકોષીય નુકસાનમાં સામાન્ય ઘટાડાનું આ લક્ષ્ય ભારતના બૃહત આર્થિક અસંતુલનને ઠીક કરવાની કોશિશ છે, જે ધિરાણ નિર્ધારણ માટે યોગ્ય છે.'
મૂડિઝે ભારતને બીએએ3ની રેટિંગ આપી હતી જેમાંથી રોકાણ શ્રેણી રેટિંગમાં સ્થિર દ્રષ્ટિકોણનો સંકેત મળે છે.












Click it and Unblock the Notifications
