ક્રેડિટ પોલિસીમાં વ્યાજદરોમાં ઘટાડો થશે: એચડીએફસી બેંક

કેકી મિસ્ત્રીનું માનવું છે કે નાણાકીય વર્ષ 2014માં નાણાંકીય નુકસાન 4.8 ટકા થઇ જશે. નાણામંત્રીએ અત્યાર સુધી કરેલા બધા વાયદા પાળ્યા છે. તો સરકાર દ્રારા વધુ વ્યાજ લેવાથી પ્રવાહિતામાં નરમાઇ આવશે નહી. આરબીઆઇની દરોમાં કાપ કરવામાં આવશે તો પ્રવાહિત સમસ્યાઓ દૂર થશે. જો કે બચત માટે બજેટમાં વધુ ઉપાય હોત તો સારું.
પ્રોપર્ટી માર્કેટ પર કેકી મિસ્ત્રીનું કહેવું છે કે ઘરોની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ રિયલ એસ્ટેટમાં કોઇ પરિવર્તન નથી અને વેચાયા વગરના મકાનોની સંખ્યા પણ વધારે રહી નથી. જો કે રોકાણકારો કરતાં પોતાનું ઘર લેનારાઓની સંખ્યા વધારે છે. બજેટની જાહેરાતથી પ્રથમવાર ઘર ખરીદનારને ફાયદો થશે. ઘર ખરીદનારને ટેક્સમાં ભારે બચત થશે. 20 વર્ષની લોનમાં 6 ટકા ફાયદો થશે.












Click it and Unblock the Notifications
