સરકારી કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ, મોંઘવારી ભથ્થુ 5% વધ્યુ
દિવાળીની બરાબર પહેલા સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે ભેટ આપી છે. બુધવારે થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ડીએ એટલે કે મોંઘવારી ભથ્થુ 5 ટકા વધારવા પર નિર્ણય થયો.
દિવાળીની બરાબર પહેલા સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે ભેટ આપી છે. બુધવારે થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ડીએ એટલે કે મોંઘવારી ભથ્થુ 5 ટકા વધારવા પર નિર્ણય થયો. ડીએ 12 ટકાથી વધારીને 17 ટકા થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે આ નિર્ણયથી 50 લાખ સરકારી કર્મચારીઓને સીધો ફાયદો થશે. એટલુ જ નહિ 62 લાખ પેન્શનધારકો પણ આનાથી લાભાન્વિત થશે.
શું કહ્યુ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા જણાવ્યુ કે મોંઘવારી ભથ્થુ 5 ટકા વધારવાનો નિર્ણય લેવાયો છે. તેમણે જણાવ્યુ કે આ પહેલા 2-3 ટકા સુધી મોંઘવારી ભથ્થુ વધતુ હતુ. આ નિર્ણયથી સરકાર પર 16,000 કરોડ રૂપિયાનો બોજો પડશે. તમને જણાવી દઈએ કે વધેલુ મોંઘવારી ભથ્થુ 1 જુલાઈથી લાગુ થશે.
આશા કાર્યકર્તાઓને ડબલ ફાયદો
કેન્દ્ર સરકારે આ ઉપરાંત આશા કાર્યકર્તાઓને બમણો ફાયદો કરી દીધો છે. પહેલા જ્યાં તેમને એક હજાર રૂપિયા મળતા હતા ત્યાં હવે બે હજાર રૂપિયા મળશે. આશા કાર્યકર્તા મુખ્યતઃ મહિલાઓ હોય છે કે જે ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવે છે.
|
જાણો શું હોય છે મોંઘવારી ભથ્થુ
ડિયરનેસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થુ એ હોય છે જે દેશના સરકારી કર્મચારીઓના રહેવા-ખાવાના સ્તરને વધુ સારુ બનાવવા માટે આપવામાં આવે છે. આ રકમ એટલા માટે આપવામાં આવે છે જેથી મોંઘવારી વધ્યા બાદ પણ કર્મચારીની રહેણી-કરણીના સ્તરમાં પૈસાના કારણે કોઈ મુશ્કેલી ના આવે. આ પૈસા સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શધારકોને આપવામાં આવે છે. મોંઘવારી ભથ્થાનુ કેલ્ક્યુલેશન બેઝિકની ટકાવારીના રૂપમાં થાય છે.