પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંક એકાઉન્ટ ખોલવા જરૂરી છે આ દસ્તાવેજો
પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય - PMJDY) અંતર્ગત બેંક એકાઉન્ટ ખોલાવવા માટે આધાર કાર્ડ સૌથી મહત્વનો દસ્તાવેજ છે. જો કે સરકારએ એક વર્ષ સુધી આધાર કાર્ડ વિના પણ પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંક એકાઉન્ટ ખોલવાની સુવિધા પ્રદાન કરી છે.
આ મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ - RBI)એ જણાવ્યું છે જેમની પાસે સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજો નથી તેઓ 'સ્મોલ એકાઉન્ટ' ખોલાવી શકશે.
સ્મોલ એકાઉન્ટ બેંકના માન્ય અધિકારી સમક્ષ સ્વપ્રમાણિત ફોટોગ્રાફ્સની સાથે ખોલાવી શકાશે. જો કે સ્મોલ એકાઉન્ટની કેટલીક મર્યાદા છે. જેના કારણે એક વર્ષમાં તેમાં રૂપિયા 1 લાખથી વધારેની રકમ મૂકી શકાશે નહીં. આ ઉપરાંત એક મહિનામાં રૂપિયા 10,000થી વધારેની રકમનો ઉપાડ કરી શકાશે નહીં. આ ઉપરાંત બેંક એકાઉન્ટમાં રૂપિયા 50,000નું બેલેન્સ રાખવું પડશે.

આ ખાતુ માત્ર 12 મહિના સુધી જ માન્ય રહેશે. સ્મોલ એકાઉન્ટના ખોલાવ્યા બાદ 12 મહિનાની અંદર જો વ્યક્તિ જરૂરી દસ્તાવેજો આપે છે તો આ એકાઉન્ટ વધુ 12 મહિના માટે લંબાવવામાં આવશે.
પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટે સત્તાવાર રીતે કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની યાદી આ મુજબ છે...
1. જો વ્યક્તિ પાસે આધાર કાર્ડ કે આધાર નંબર હશે તો અન્ય કોઇ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં. જો સરનામુ બદલાશે તો સ્વપ્રમાણિત એડ્રેસપ્રુફ આપવાનું રહેશે.
2. આધાર કાર્ડ ના હોય તો નીચેનામાંથી કોઇપણ એક દસ્તાવેજ ચાલશે...
A) વોટર આઇડી કાર્ડ
B) ડ્રાઇવિંગ લાઇસન્સ
C) પાન કાર્ડ
D) પાસપોર્ટ અને NREGA કાર્ડ
3. જો વ્યક્તિ પાસે ઉપરોક્ત એક પણ દસ્તાવેજ ના હોય પણ બેંકે તેને લૉ રિસ્ક વ્યક્તિ જાહેર કરી હોય તો તેઓ નીચેના દસ્તાવેજોમાંથી એકના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી શકશે.
4. અરજદાતાના ફોટોગ્રાફ્સ સાથે કેન્દ્ર કે રાજ્ય સરકારના વિભાગ, રેગ્યુલેટરી ઓથોરિટી, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ, શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક્સ અને પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા આપવામાં આવેલું ઓળખ કાર્ડ.
5. આ ઉપરાંત ગેઝેટેડ ઓફિસર દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રની મદદથી અરજદાતા પોતાના ફોટોગ્રાફ સાથે ખાતુ ખોલાવી શકશે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
