પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંક એકાઉન્ટ ખોલવા જરૂરી છે આ દસ્તાવેજો
પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય - PMJDY) અંતર્ગત બેંક એકાઉન્ટ ખોલાવવા માટે આધાર કાર્ડ સૌથી મહત્વનો દસ્તાવેજ છે. જો કે સરકારએ એક વર્ષ સુધી આધાર કાર્ડ વિના પણ પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંક એકાઉન્ટ ખોલવાની સુવિધા પ્રદાન કરી છે.
આ મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ - RBI)એ જણાવ્યું છે જેમની પાસે સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજો નથી તેઓ 'સ્મોલ એકાઉન્ટ' ખોલાવી શકશે.
સ્મોલ એકાઉન્ટ બેંકના માન્ય અધિકારી સમક્ષ સ્વપ્રમાણિત ફોટોગ્રાફ્સની સાથે ખોલાવી શકાશે. જો કે સ્મોલ એકાઉન્ટની કેટલીક મર્યાદા છે. જેના કારણે એક વર્ષમાં તેમાં રૂપિયા 1 લાખથી વધારેની રકમ મૂકી શકાશે નહીં. આ ઉપરાંત એક મહિનામાં રૂપિયા 10,000થી વધારેની રકમનો ઉપાડ કરી શકાશે નહીં. આ ઉપરાંત બેંક એકાઉન્ટમાં રૂપિયા 50,000નું બેલેન્સ રાખવું પડશે.

આ ખાતુ માત્ર 12 મહિના સુધી જ માન્ય રહેશે. સ્મોલ એકાઉન્ટના ખોલાવ્યા બાદ 12 મહિનાની અંદર જો વ્યક્તિ જરૂરી દસ્તાવેજો આપે છે તો આ એકાઉન્ટ વધુ 12 મહિના માટે લંબાવવામાં આવશે.
પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટે સત્તાવાર રીતે કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની યાદી આ મુજબ છે...
1. જો વ્યક્તિ પાસે આધાર કાર્ડ કે આધાર નંબર હશે તો અન્ય કોઇ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં. જો સરનામુ બદલાશે તો સ્વપ્રમાણિત એડ્રેસપ્રુફ આપવાનું રહેશે.
2. આધાર કાર્ડ ના હોય તો નીચેનામાંથી કોઇપણ એક દસ્તાવેજ ચાલશે...
A) વોટર આઇડી કાર્ડ
B) ડ્રાઇવિંગ લાઇસન્સ
C) પાન કાર્ડ
D) પાસપોર્ટ અને NREGA કાર્ડ
3. જો વ્યક્તિ પાસે ઉપરોક્ત એક પણ દસ્તાવેજ ના હોય પણ બેંકે તેને લૉ રિસ્ક વ્યક્તિ જાહેર કરી હોય તો તેઓ નીચેના દસ્તાવેજોમાંથી એકના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી શકશે.
4. અરજદાતાના ફોટોગ્રાફ્સ સાથે કેન્દ્ર કે રાજ્ય સરકારના વિભાગ, રેગ્યુલેટરી ઓથોરિટી, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ, શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક્સ અને પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા આપવામાં આવેલું ઓળખ કાર્ડ.
5. આ ઉપરાંત ગેઝેટેડ ઓફિસર દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રની મદદથી અરજદાતા પોતાના ફોટોગ્રાફ સાથે ખાતુ ખોલાવી શકશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
