રાંધણ તેલ સસ્તું થશે, ઘટાડી શકે છે સરકાર ટેક્સ
ખાદ્ય તેલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે. આ માટે સરકાર ક્રૂડ પામ ઓઈલની આયાત પર કૃષિ ઈન્ફ્રા અને ડેવલપમેન્ટ સેસને ઘટાડીને પાંચ ટકાથી ઓછી કરવાનો વિચાર કરી રહી છે. આ કપાત કેટલી હશે તે સ્પષ્ટ નથી.
ખાદ્ય તેલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે. આ માટે સરકાર ક્રૂડ પામ ઓઈલની આયાત પર કૃષિ ઈન્ફ્રા અને ડેવલપમેન્ટ સેસને ઘટાડીને પાંચ ટકાથી ઓછી કરવાનો વિચાર કરી રહી છે. આ કપાત કેટલી હશે તે સ્પષ્ટ નથી. તાજેતરમાં સેસ 7.5 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો હતો. અમુક ઉત્પાદનો પર મૂળભૂત કર પછી સેસ વસૂલવામાં આવે છે. તેનો ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ખર્ચે થાય છે.
બ્લૂમબર્ગના મતે ભારતમાં ખાદ્યતેલના ભાવ છેલ્લા બે વર્ષથી વધી રહ્યા છે. રસિયા-યુક્રેન યુદ્ધ બાદ સૂર્યમુખી તેલની નિકાસ બંધ થઈ ગઈ છે. ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં પામ ઓઈલ અને સોયાબીન ઓઈલના વૈશ્વિક ભાવમાં વધારાને કારણે સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જોકે, ભારતે કિંમતોને અંકુશમાં લેવા માટે ઘણા પગલાં લીધા છે, પરંતુ કોઈ ફાયદો થયો નથી. ભારત તેની વનસ્પતિ તેલની કુલ જરૂરિયાતના 60 ટકા આયાત કરે છે.

સરકાર પાસે કોઈ વિકલ્પ નથી
સૂત્રોનું કહેવું છે કે, ખાદ્યતેલના ભાવમાં રાહત આપવા માટે સરકાર પાસે સેસ ઘટાડવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ અંગે ચર્ચા ચાલી રહીછે. જોકે, ગ્રાહક મંત્રાલય ખાદ્ય તેલના ભાવ અને સંગ્રહ પર નજર રાખી રહ્યું છે.

હવે 35 ટકા છે આયાત ડ્યુટી
રાઈન બ્રાન ઓઈલ અને ઓલિવ ઓઈલ જેવા કેટલાક મોટા ખાદ્ય તેલ પર હજૂ પણ 35 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાગે છે. તેને 30 ટકા સુધીલાવવાની યોજના છે.

ખાદ્ય તેલનો પૂરતો સ્ટોક : સુધાંશુ પાંડે
ઈન્ડોનેશિયાની સરકાર પામ ઓઈલની નિકાસ અંગે 15 થી 20 મે દરમિયાન સમીક્ષા બેઠક યોજવાની છે. એવી અપેક્ષા રાખવામાં આવે છેકે, પ્રતિબંધમાં છૂટછાટ આપવામાં આવશે. હાલમાં જ ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે, પ્રતિબંધ હટાવ્યા બાદ પામ ઓઈલનોપુરવઠો પહેલાની જેમ જ પાછું આવશે. તેનાથી ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થશે. સરકાર પાસે 40-45 દિવસ માટે પૂરતો ખાદ્ય તેલનો સ્ટોકછે.












Click it and Unblock the Notifications
