EPF New Rules : નોકરી બદલી રહ્યાં છો તો PF નો બદલાયેલો નિયમ જાણી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી
EPF New Rules : EPFO ના નિયમોમાં સતત બદલાવ થતા રહે છે. હવે હાલમાં જ એક નવો નિયમ આવ્યો છે. આ નિયમ તમામ લોકોએ ખાસ જાણવો જરૂરી છે.
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPF) સાથે સંકળાયેલા કર્મચારીઓના પીએફ ખાતા સંબંધિત નવો નિયમ 1 એપ્રિલથી લાગુ થઈ ગયો છે.

બદલાયેલા નિયમો તમામ પીએફ ખાતાધારકો માટે છે. જો તમે પણ પીએફ ખાતાધારક છો તો આ નવા નિયમો તમારા માટે જાણવા જરૂરી છે.
EPFO એ કર્મચારીઓના PF (Provident Fund) ખાતામાં વિગતો સુધારવા અને અપડેટ કરવા માટે કેટલાક બદલાયેલા નવા નિયમો રજૂ કર્યા છે. વિભાગે વ્યક્તિગત વિગતો સુધારવા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા એટલે કે SOP માર્ગદર્શિકા જારી કરી છે.
31 જુલાઈ 2024 ના રોજ જારી કરાયેલા EPFO પરિપત્ર મુજબ, સભ્યોની પ્રોફાઇલ અપડેટ કરવા માટે SOP વર્જન 3.0 ને મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત જે લોકો અનેક પ્રકારની ભૂલો કર્યા બાદ સુધારણા માટે ચિંતિત છે તેમને હવે રાહત મળશે.
નવી માર્ગદર્શિકા અનુસાર, નવી સૂચનાઓ હેઠળ EPFOએ પ્રોફાઇલમાં ફેરફારને મુખ્ય અને માઇનોર એમ બે શ્રેણીમાં વિભાજિત કર્યા છે. પરિપત્ર મુજબ, તમામ મોટા અને નાના ફેરફાર કરેક્શન વિનંતીઓ દસ્તાવેજી પુરાવા દ્વારા સમર્થિત હોવી આવશ્યક છે. નાના ફેરફારો માટે સંયુક્ત ઘોષણા વિનંતીઓ સાથે ઓછામાં ઓછા બે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા જોઈએ.
મોટા ફેરફારો માટે ઓછામાં ઓછા ત્રણ જરૂરી દસ્તાવેજો પ્રદાન કરવા પડશે. એ નોંધવું અગત્યનું છે કે આધાર સંબંધિત ફેરફારોના કિસ્સામાં, સક્રિય મોબાઇલ નંબર સાથે લિંક કરેલ આધાર કાર્ડ અથવા ઇ-આધાર કાર્ડ સહાયક દસ્તાવેજ તરીકે પૂરતું હશે.
આ સિવાય કંપનીઓ સ્વિચ કર્યા પછી પીએફ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. જણાવી દઈએ કે, અત્યાર સુધી નોકરી બદલતી વખતે જૂની કંપનીએ નવા ખાતામાં PMના પૈસા ટ્રાન્સફર કરવા માટે એક ફોર્મ ભરવું પડતું હતું. પરંતુ હવે આવું કરવું પડશે નહીં. હવે નોકરી બદલવાની સાથે જ તમારા પીએફના પૈસા ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
