Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

FAQ : LICથી જોડાયેલા આ 5 સવાલ બધા કરે છે, જેના જવાબ છે અહીં

લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન એટલે કે એલઆઇસીથી જોડાયેલા પાંચ વારંવાર પૂછતા સવાલોના જવાબ જાણો અહીં.

લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન એટલે કે LIC, ઇન્ડિયાની સૌથી લોકપ્રિય વીમા યોજના છે. લોકો પોતાની અલગ અલગ જરૂરિયાતોને લઇને એલઆઇસીની વિવિધ અલગ અલગ વીમા યોજનાને લાગુ કરે છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ યોગ્ય પોલીસી અને પ્રોડક્ટ લે છે. ત્યારે આજે અમે લોકો દ્વારા એલઆઇસી અંગે વારંવાર પૂછવામાં આવતા સવાલો અંગે તમને જણાવીશું. એલઆઇસીથી લગતા આ 5 સવાલો વારંવાર પૂછવામાં આવે તેના જવાબ શું છે વિગતવાર વાંચો અહીં....

Read also: How to : આ રીતે ઓનલાઇન ચેક કરો LIC પોલિસીનું સ્ટેટ્સ

સૌથી સારી LIC પોલીસી કંઇ?

સૌથી સારી LIC પોલીસી કંઇ?

એલઆઇસી પારંપરિક યોજનાઓ, એન્ડોમેન્ટ યોજના, બચત યોજના આપે છે. જેનો ઉદ્દેશ ભિન્ન હોય છે. પોલીસી ઓનલાઇન ખરીદવી સલાહ ભરી છે. કારણ કે ગ્રાહક મૂળ વાર્ષિકી દરમાં વધારા દ્વારા 1 ટકાની છૂટનો આનંદ લઇ શકો છો. આ પોલીસી મોટો ભાગના લોકો લે છે. એલઆઇસી જીવન આનંદ, એલઆઇસી મની બેંક પ્લાન આવી રીતે જ એલઆઇસીના કેટલાક પ્લાન છે જે એક સારી ઓફર આપે છે.

LIC કે મ્યુચ્યુઅલ ફંડ?

LIC કે મ્યુચ્યુઅલ ફંડ?

જો તમે યોગ્ય કારણ સાથે રોકાણ કરવા માંગો છો તો આ બન્ને ઓપશન સારા છે. પણ એલઆઇસી પોલીસી ખરીદવાથી ગ્રાહકને લાઇવ કવર અને રોકાણ બન્નેની સુવિધા મળે છે. જો તમે એન્ડોમેન્ટ પ્લાન અને સેવિંગ પ્લાન બચાવાનો વિકલ્પ પસંદ કરો છો તો. જો કે રિટર્ન અને રિસ્ક તુલનાત્મક રીતે ઓછા હશે.મ્યુચ્યુઅલ ફંડમાં એકમોને ખરીદવા રોકાણ ઉદ્દેશ માટે છે, મ્યુચ્યુઅલ ફંડથી તમે વીમા કવરની આશા ના રાખી શકો.

એજન્ટ જરૂરી છે?

એજન્ટ જરૂરી છે?

શરૂઆતમાં કોઇ ઓનલાઇન સુવિધા નહતી. માટે જ એલઆઇસી પોલીસી ખરીદવા માટે એજન્ટ પર જ નિર્ભર કરવું પડતું હતું. હજી પણ એવી કેટલીક પોલીસી છે જે માટે એજન્ટ પર નિર્ભર રહેવું પડે છે. પણ તેમ છતાં હવે અનેક તેવા ટર્મ પ્લાન છે જે ઓનલાઇન મળે છે. જે એક સારી વાત છે ગ્રાહકો માટે.

લોન મળે છે?

લોન મળે છે?

અનેક વાર લોકો પૂછતા હોય છે કે એલઆઇસી પોલીસીથી લોન લઇ શકાય છે. તો જવાબ તે છે કે તેવા પોલીસી હોલ્ડર જેમની પાસે ત્રણ વર્ષથી એલઆઇસીની પોલીસી છે તે લોન લઇ શકે છે. લોનની રાશિ પોલીસીની એમાઉન્ટ અને સમય પર નિર્ભર કરે છે. અન્ય લોનના કરતા આ એક સુરક્ષિત અને ઓછા વ્યાજ વાળી લોન છે. જો પોલીસી લેનાર કોઇ વ્યક્તિ યોગ્ય સમય સીમામાં લોન ભરી નથી શકતો તો લોન એમાઉન્ટ અને વ્યાજ ક્લેમની રાશિ કાપી નાખવામાં આવે છે અને રાશિ દાવેદારને આપવામાં આવે છે.

ટેક્સમાં રાહત?

ટેક્સમાં રાહત?

LIC થી પ્રીમિયમ ચૂકવણી કરતા લોકોને ધારા 80 સી હેઠળ 1.5 લાખ સુધી કર લાભ મળે છે. આ સાથે જ વીમા પોલીસી ધારા 10D હેળઠ મૃત્યુ પછી પણ ટેક્સમાં લાભ મળે છે. નિયમ મુજબ વીમા પોલીસે તે કર માટે છે 2 ટકા ટીડીએસ કારે છે જે કર યોગ્ય હોય છે. ઉલ્લેખનીય છે કે 1 લાખ રૂપિયાથી ઓછી રાશિનો વીમો પાકતા આવક પર કોઇ ટીડીએસ નહીં લાગુ પડે.

વધુ વાંચો

વધુ વાંચો

બે વર્ષથી લઇને ત્રણ વર્ષ સુધી જો તમે કોઇ એસબીઆઇ ખાતમાં પૈસા જમા કરશો તો તમને તેની પર ખાલી 6.25 ટકા વ્યાજ મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X