આધાર કાર્ડ કે માન્ય દસ્તાવેજો વિના પ્રધાનમંત્રી જન ધન યોજના બેંક એકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકાય?
ભારતમાં કોઇ પણ આર્થિક સહાયની યોજનાને અમલમાં મૂકવાની આવે ત્યારે એક પ્રશ્ન કાયમ ઉદભવતો હોય છે કે પઠાત વર્ગના લોકો સુધી તેને કેવી રીતે પહોંચાડવામાં આવશે. કારણ કે તેમની પાસે એકાઉન્ટ ખોલાવવા માટે પાન કાર્ડ જેવા સામાન્ય દસ્તાવેજો પણ ઉપલબ્ધ હોતા નથી.
જો કે નરેન્દ્ર મોદી સરકારે રજૂ કરેલી પ્રધાનમંત્રી જનધન યોજના બેંક એકાઉન્ટ (PMJDYBA) ખોલવામાં રાહત આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત યોજનાના પ્રથમ વર્ષમાં આપ આધાર કાર્ડ વિના પણ પ્રધાનમંત્રી જનધન યોજના બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો.

શેની મદદથી ખોલાવી શકાય ખાતુ?
આ અંગે RBI દ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશ અનુસાર આપે પ્રથમ વર્ષમાં પ્રધાનમંત્રી જનધન યોજના બેંક એકાઉન્ટ ખોલાવવા માટે આપના બે ફોટોગ્રાફ્સની જ જરૂર છે.

એક વર્ષ બાદ શું?
આક વર્ષ સુધી આ એકાઉન્ટ નાના એકાઉન્ટ તરીકે કામ કરે છે. ત્યાર બાદ આ ખાતાને ચાલુ રાખવા માટે આપે સત્તાવાર રીતે સરકારી ઓળખપત્ર કે દસ્તાવેજ રજૂ કરવો જરૂરી છે. આપની ઓળખનો પુરાવો રજૂ કર્યા બાદ આ ખાતુ સામાન્ય બની જાય છે.

ખાતામાં કેટલાક નિયંત્રણો
સરકારે પ્રધાનમંત્રી જનધન યોજના બેંક એકાઉન્ટમાં કેટલાક નિયંત્રણો મૂક્યા છે. જે અનુસાર આપનું ખાતુ ચાલુ થયા બાદ તેમાં મહત્તમ બેલેન્સ રૂપિયા 50,000થી વધારે હોવું જોઇએ નહીં. આ ઉપરાંત તેમાં સ્મોલ એકાઉન્ટમાં કુલ ઉપાડ રૂપિયા 1 લાખથી વધાવી જોઇએ નહીં. દર મહિને રૂપિયા 10,000થી વધારે રકમ ઉપાડી શકાશે નહીં.

ખાસ ફ્યુચર્સ
પ્રધાનમંત્રી જનધન યોજના બેંક એકાઉન્ટ ખોલાવાની સાથે આપને ફ્રી ઇન્શ્યોરન્સ અને રૂપે ડેબિટ કાર્ડ પણ મળે છે. જેના કારણે તે વધારે આકર્ષક બને છે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી










Click it and Unblock the Notifications
