આધાર કાર્ડ કે માન્ય દસ્તાવેજો વિના પ્રધાનમંત્રી જન ધન યોજના બેંક એકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકાય?
ભારતમાં કોઇ પણ આર્થિક સહાયની યોજનાને અમલમાં મૂકવાની આવે ત્યારે એક પ્રશ્ન કાયમ ઉદભવતો હોય છે કે પઠાત વર્ગના લોકો સુધી તેને કેવી રીતે પહોંચાડવામાં આવશે. કારણ કે તેમની પાસે એકાઉન્ટ ખોલાવવા માટે પાન કાર્ડ જેવા સામાન્ય દસ્તાવેજો પણ ઉપલબ્ધ હોતા નથી.
જો કે નરેન્દ્ર મોદી સરકારે રજૂ કરેલી પ્રધાનમંત્રી જનધન યોજના બેંક એકાઉન્ટ (PMJDYBA) ખોલવામાં રાહત આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત યોજનાના પ્રથમ વર્ષમાં આપ આધાર કાર્ડ વિના પણ પ્રધાનમંત્રી જનધન યોજના બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો.

શેની મદદથી ખોલાવી શકાય ખાતુ?
આ અંગે RBI દ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશ અનુસાર આપે પ્રથમ વર્ષમાં પ્રધાનમંત્રી જનધન યોજના બેંક એકાઉન્ટ ખોલાવવા માટે આપના બે ફોટોગ્રાફ્સની જ જરૂર છે.

એક વર્ષ બાદ શું?
આક વર્ષ સુધી આ એકાઉન્ટ નાના એકાઉન્ટ તરીકે કામ કરે છે. ત્યાર બાદ આ ખાતાને ચાલુ રાખવા માટે આપે સત્તાવાર રીતે સરકારી ઓળખપત્ર કે દસ્તાવેજ રજૂ કરવો જરૂરી છે. આપની ઓળખનો પુરાવો રજૂ કર્યા બાદ આ ખાતુ સામાન્ય બની જાય છે.

ખાતામાં કેટલાક નિયંત્રણો
સરકારે પ્રધાનમંત્રી જનધન યોજના બેંક એકાઉન્ટમાં કેટલાક નિયંત્રણો મૂક્યા છે. જે અનુસાર આપનું ખાતુ ચાલુ થયા બાદ તેમાં મહત્તમ બેલેન્સ રૂપિયા 50,000થી વધારે હોવું જોઇએ નહીં. આ ઉપરાંત તેમાં સ્મોલ એકાઉન્ટમાં કુલ ઉપાડ રૂપિયા 1 લાખથી વધાવી જોઇએ નહીં. દર મહિને રૂપિયા 10,000થી વધારે રકમ ઉપાડી શકાશે નહીં.

ખાસ ફ્યુચર્સ
પ્રધાનમંત્રી જનધન યોજના બેંક એકાઉન્ટ ખોલાવાની સાથે આપને ફ્રી ઇન્શ્યોરન્સ અને રૂપે ડેબિટ કાર્ડ પણ મળે છે. જેના કારણે તે વધારે આકર્ષક બને છે.












Click it and Unblock the Notifications
