કેવી રીતે બદલશો 2000ની નોટ? શું છે નિયમ? જાણો પુરી સિસ્ટમ
આજે એટલે કે શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કહ્યું કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. જો કે, આદેશમાં કહેવામાં આવ્યું છે કે 2,000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.
આ સાથે RBIએ બેંકોને 2000 રૂપિયાની નોટો જારી કરવાનું તાત્કાલિક બંધ કરવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. પહેલો સવાલ એ છે કે 2000 રૂપિયાની નોટને લઈને આરબીઆઈના આદેશનો શું અર્થ છે? અને જો અમારી પાસે 2000 રૂપિયાની નોટ હોય તો શું કરવું જોઈએ. ચાલો તમારા બધા પ્રશ્નોના જવાબ આપીએ.

RBI દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે. તે માત્ર તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે, તો તે સંપૂર્ણ રીતે માન્ય છે અને તમે તેને કોઈપણ બેંકમાં જઈને બદલી શકો છો.
જો કે, એક સમયે માત્ર 10 નોટ એટલે કે 20 હજાર રૂપિયાની નોટો જ બદલાશે. નોટ બદલવાની પ્રક્રિયા 23 મે, 2023થી શરૂ થશે અને તમે 30 સપ્ટેમ્બર, 2023 સુધી તમારી નોટ બદલી શકશો. એટલે કે, તમારી પાસે 2000 રૂપિયાની નોટ બદલવા માટે ચાર મહિનાનો સમય હશે.
આરબીઆઈના આદેશ અનુસાર હાલના સમયમાં 2000 રૂપિયાની નોટનો ઉપયોગ કરી શકાશે. એટલે કે, તમે હવે 2000 રૂપિયાની નોટ વડે ખરીદી શકો છો અને તેને પેમેન્ટ તરીકે લઈ શકો છો. પરંતુ, 30 સપ્ટેમ્બર 2023 પહેલા તમારે બેંકમાં 2000 રૂપિયાની નોટ બદલવી પડશે.












Click it and Unblock the Notifications
