10 ટકા વ્યાજદર સાથે આઇએફસીઆઇ એનસીડી સુપર સોદો
સરકારની માલિકીની નાણા સંસ્થા IFCI 9.8થી 10 ટકાના વ્યાજદર વચ્ચે NCDs આપે છે. જે તેને આકર્ષક પ્રમાણ બનાવી રહ્યું છે. ફિક્સ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી વળતર મેળવવાના વિકલ્પો શોધનારાઓ માટે આ એક સારો વિકલ્પ સાબિત થઇ શકે એમ છે.
NCDs આજ (20 ઓક્ટોબર)થી ખુલી રહ્યા છે. આ NCDs 21 નવેમ્બર, 2014ના રોજ બંધ થશે. સ્થાનિક રેટિંગ કંપનીઓ ICRA અને બ્રિકવર્ક દ્વારા તેને A અને AA- રેટિંગ આપવામાં આવ્યું છે.

વ્યાજના દર
1. ક્યુમુલેટિવ ઓપ્શન
ક્યુમુલેટિવ ઓપ્શનમાં NCDs 9.90 ટકાનો વ્યાજદર ઓફર કરે છે. આ વ્યાજ દર પાંચ વર્ષ માટે છે. જ્યારે 7થી 10 વર્ષના ગાળા માટે 10 ટકા વ્યાજ છે.
2. માસિક વિકલ્પ
પાંચ વર્ષના ગાળા માટે માસિક વિકલ્પમાં 9.5 ટકા વ્યાજ છે.
3. વાર્ષિક વિકલ્પ
ક્યુમુલેટિવ ઓપ્શનમાં NCDs 9.90 ટકાનો વ્યાજદર ઓફર કરે છે. આ વ્યાજ દર પાંચ વર્ષ માટે છે. જ્યારે 7થી 10 વર્ષના ગાળા માટે 10 ટકા વ્યાજ છે.
આ ઓફરમાં શા માટે સામેલ થવું જોઇએ?
1. વ્યાજદરો આકર્ષક છે
બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટમાં વર્તમાન સમયમાં આટલો ઊંચો વ્યાજદર ચૂકવાતો નથી. બેંકોમાં મહત્તમ 9.25 ટકા વ્યાજ દર મળે છે. આ કારણે એનસીડી વધારે આકર્ષક છે.
2. સરકારી માલિકી
IFCIએ સરકારી માલિકીની કંપની છે. આ કારણે હાઇએસ્ટ રેટિંગ્સ નહીં હોવા છતાં તેના NCDs વધારે સુરક્ષિત છે.
3. ઉંચા વ્યાજ દરે નાણા લોક ઇન કરી શકાય
IFCIના NCDs ઉંચા વ્યાજ દરે નાણા લોક ઇન કરવાની તક આપે છે. આ રોકાણ લાંબા ગાળાનું હોવાને કારણે અર્થતંત્રમાં આવતા બદલાવને પગલે ઘટતા વ્યાજદરની અસર થવાની સંભાવના રહેતી નથી.
4. તરલતા
NCDs એ એનએસસી અને બીએસસી બંનેમાં લિસ્ટેડ થવાની હોવાથી તેમાં સારી લિક્વિડિટી રહેશે.
તારણ :
ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટની બાબતમાં એનએસડીમાં સૌથી ઊંચા વ્યાજદર, સુરક્ષા અને નાણાની પ્રવાહિતા મળે છે. આ કારણે તે નાણા રોકવાનું સારું સાધન બને છે. રિટાયર્ડ માટે પણ આ સારો વિકલ્પ છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
