ભારતના નબળા અર્થતંત્ર માટે UPA કારણભૂત : IMF
નવી દિલ્હી, 4 એપ્રિલ : આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF)એ કહ્યું છે કે ભારતનું અર્થતંત્ર નબળું પડયું તેની પાછળ આંતરિક કારણો જવાબદાર છે. નહીં કે બહારના કારણો. આઇએમએફએ અર્થતંત્રની ગતિ ધીમી પડવા પાછળ યુપીએ સરકારને જવાબદાર ઠેરવી છે. આઇએમએફના નિવેદનથી યુપીએ સરકારના એવા દાવાઓ ખોટા ઠર્યા છે કે અર્થતંત્ર મંદ પડવા પાછળ વૈશ્વિક પરિબળો જવાબદાર છે અને તે આપણા હાથમાં નહોતું.
આઇએમએફએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે, જો ભારત પોતાની સમસ્યાઓનો ઉકેલ વહેલી તકે નહી લાવે તો ભારતનું અર્થતંત્ર વધુ પછડાટ ખાશે. આઇએમએફએ જણાવ્યુ છે કે ભારતમાં વધારાના રોકાણની આવશ્યકતા છે.
નાણા ભંડોળના પ્રમુખ ક્રિસ્ટીન લોગાર્ડેએ ભારત જેવા દેશોમાં માળખાકીય સુવિધાઓ વચ્ચેની ખાઇને નાબુદ કરવા માટે વધુ જાહેર અને ખાનગી રોકાણની તરફેણ કરી છે. યોગ્ય રીતે રોકાણ થાય તો ઉત્પાદન અને રોજગારીમાં વધારો થશે.

તેમણે કહ્યું હતું કે વિશ્વમાં હજુ પણ આર્થિક મંદી જોવા મળી રહી છે અને ભૂ-રાજનૈતિક તણાવ વધી રહ્યા છે. આ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય સહયોગને કેવી રીતે મજબુત કરી શકાય જે આ પડકારોને પહોંચી વળવા માટે મહત્વનું છે.
ભારતમાં લોનનો ઉંચો વ્યાજદર અને કોર્પોરેટ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સરકારની મંજુરી મેળવવામાં થતો વિલંબ, ઉંચો ફુગાવો વગેરેને કારણે કન્ઝમશન ખર્ચ ઘટયો છે અને તેને કારણે અર્થતંત્રને પણ નુકસાન પહોંચ્યુ છે.
મોનીટરી ફંડે જણાવ્યું છે કે બ્રાઝિલ અને ઇન્ડોનેશિયામાં જે વિકાસ ધીમો પડયો છે જેની પાછળ બહારના કારણો જવાબદાર છે. રશિયા અને દ.આફ્રિકામાં આંતરિક પરિબળો જવાબદાર છે. ભારતમાં પણ આવું જ થયું છે.
ભારતમાં 31 ડિસેમ્બર સુધીમાં અર્થતંત્રનો વિકાસ 5 ટકાથી નીચે રહ્યો છે. આઇએમએફ 8મી એપ્રિલે ભારત સહિતના દેશો માટે ગ્લોબલ ગ્રોથ પ્રોજેકશન જાહેર કરશે. એશિયન ડેવલપમેન્ટ બેંકે 2014-15 માટેનો ભારતનો વિકાસ દર 5.5 ટકા રહેશે તેવુ જાહેર કર્યુ છે.
આ બેંક કહે છે કે ફુગાવો, નાણાકીય અસમતુલા, ઇન્વેસ્ટમેન્ટની ધીમી રફતાર, સુધારાઓ માટે બિનકાર્યક્ષમતા વગેરેના કારણે ભારતનું અર્થતંત્ર ધીમું પડયું છે. આ બધાનો સિસ્મેટીક ઉકેલ લાવવો જરૂરી છે કે જેથી ભારતનો વિકાસ દર ઉંચો જઇ શકે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી









Click it and Unblock the Notifications
