Income Tax Return: ITR ભરવાની છેલ્લી તારીખ નહિ લંબાય, સામે આવી મોટી અપડેટ
Income Tax Return: આવકવેરા વિભાગે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરી છે. આ કિસ્સામાં, તમારે નિયત તારીખ પહેલાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જોઈએ. જો તમે વિચારી રહ્યા છો કે આવકવેરા વિભાગ છેલ્લી તારીખ પછી તેને લંબાવશે, તો તમે ભ્રમમાં છો.
મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ લોકોને અપીલ કરી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે આવકવેરા રિટર્ન ફાઇલ કરે. તેમણે કહ્યું કે નાણા મંત્રાલય આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવવાનું વિચારી રહ્યું નથી.

સંજય મલ્હોત્રાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વર્ષે વધુ લોકો ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરશે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ લોકો ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરશે. જણાવી દઈએ કે ગયા વર્ષે 31 જુલાઈ સુધી 5.83 કરોડ લોકોએ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું હતું.
મહેસૂલ સચિવે કહ્યું કે અમે એવા લોકોનો આભાર માનવા માંગીએ છીએ જેમણે આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે આવકવેરા રિટર્ન ભરવાની ગતિ વધુ ઝડપી છે. તેથી અમે લોકોને છેલ્લી તારીખની રાહ ન જોવા અને વહેલા આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સલાહ આપવા માંગીએ છીએ.
આવકવેરા વિભાગને આ વર્ષે આવકવેરા રિટર્નમાં આશરે 10.5 ટકાના વધારાની અપેક્ષા છે. GST અંગે સંજય મલ્હોત્રાએ કહ્યું કે અત્યાર સુધી તે 12 ટકા છે. અમે ટૂંક સમયમાં લક્ષ્ય હાંસલ કરીશું.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
