15 ફેબ્રુઆરીથી બદલાઈ રહ્યો છે પાસપોર્ટ સાથે જોડાયેલો આ નિયમ, આજે જ જાણી લો

ભારત સરકાર આગામી 15 ફેબ્રુઆરી, 2026થી પાસપોર્ટ મેળવવાના નિયમોમાં ધરખમ ફેરફારો કરવા જઈ રહી છે. વિદેશ મંત્રાલયનો મુખ્ય ઉદ્દેશ્ય પાસપોર્ટની સમગ્ર પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને ડિજિટલ બનાવવાનો છે.

હવે પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનની લાંબી રાહ જોવી પડશે નહીં, કારણ કે ડેટા સીધો ઓનલાઈન મેચ કરાશે. mPassport એપની મદદથી આ પ્રક્રિયા પૂરી થતા હવે માત્ર 5 થી 7 દિવસમાં પાસપોર્ટ ઘરે પહોંચશે.

અરજી પ્રક્રિયા હવે સંપૂર્ણપણે 'ડોક્યુમેન્ટ લેસ' બનશે, એટલે કે તમારે ફિઝિકલ દસ્તાવેજોની ફાઈલો સાથે રાખવી પડશે નહીં. ડિજીલોકરના માધ્યમથી દસ્તાવેજો સીધા વેરિફાઈ કરવામાં આવશે, જેનાથી અરજદારોને મોટી રાહત મળશે.

પાસપોર્ટ રિન્યુઅલ કરાવતા નાગરિકો માટે પણ સારા સમાચાર છે, કારણ કે હવે વારંવાર પોલીસ વેરિફિકેશન કરાવવું નહીં પડે. જો તમારી મૂળભૂત માહિતીમાં કોઈ ફેરફાર ન હોય, તો રિન્યુઅલ પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બનશે.

સિંગલ પેરેન્ટ્સ માટે સરકારે નિયમોમાં મોટી છૂટછાટ આપી છે, જેથી હવે બાળકોના પાસપોર્ટ મેળવવા સરળ બનશે. હવે બાળકોના પાસપોર્ટ માટે માતા-પિતા બંનેની હાજરી કે બંનેના નામ આપવા ફરજિયાત રહેશે નહીં.

ગ્રામીણ અને નાના શહેરોના લોકો માટે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. 15 ફેબ્રુઆરીથી નવા કેન્દ્રો શરૂ થતા લોકોને હવે મોટા શહેરો સુધી લાંબા ધક્કા ખાવા પડશે નહીં.

ટેકનોલોજીના યુગમાં હવે નવા QR કોડ ધરાવતા ઈ-પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવશે, જે સુરક્ષાની દ્રષ્ટિએ વધુ મજબૂત હશે. આ નવા અપગ્રેડેશનથી ભારતની પાસપોર્ટ સેવા વૈશ્વિક સ્તરે વધુ કાર્યક્ષમ અને આધુનિક બની જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X