ભારતીય નાગરિક વર્ષે 46 લાખથી વધુ બહાર નહીં લઈ જઈ શકે
નવી દિલ્હી, 17 ઓગસ્ટ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)એ ડોલર સામે ભારતીય રૂપિયાને નબળો પડતો અટકાવવા માટે અનેક પ્રયત્નો કર્યા છે. આરબીઆઈએ વિદેશમાં ડોલર લઈ જવા માટે વિવિધ પ્રતિબંધો મૂક્યા છે. હવે કોઈ પણ ભારતીય નાગરિક દેશની બહાર વાર્ષિક 75,000 ડોલર (અંદાજે રૂપિયા 4623636 લાખ)થી વધારે લઈ જઈ શકશે નહીં. આ સિવાય આરબીઆઈએ ભારતીય નાગરિકો પર દેશની બહાર પ્રોપર્ટી ખરીદવા માટે ડોલર લઈ જવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે.
આરબીઆઈએ કંપનીઓ માટે વિદેશી રોકાણની મર્યાદામાં પણ ઘટાડો કર્યો છે. હવે કોઈ કંપની નેટવર્થના 400 ટકાની જગ્યાએ 100 ટકા જ રોકાણ કરી શકશે. આરબીઆઈ દ્વારા લાગુ કરવામાં આવેલા ફોરેક્સના નવા નિયમો નવરત્ન સરકારી કંપનીઓ, ઓએનજીસીની વિદેશી શાખાઓ અને ઓઈલ ઈન્ડિયાને લાગુ પડશે નહીં.

આરબીઆઈએ સોનાની આયાત પર વધુ પ્રતિબંધો મૂકી દીધા છે. હવે સોનાની આયાત માટે ડીજીએફટીની મંજૂરી લેવી પડશે, તે સાથે આરબીઆઈ દ્વારા સોનાના સિક્કાની આયાત ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ વિશે આરબીઆઈ દ્વારા ખૂબ ટૂંક સમયમાં નોટીફિકેશન રજૂ કરી દેવામાં આવશે.
આર્થિક ક્ષેત્રે નિષ્ણાત અરવિંદ માયારામના જણાવ્યા પ્રમાણે આરબીઆઈએ વિદેશી કરન્સીના આઉટફ્લોને રોકવા માટે આ પ્રમાણેના પગલાઓ લીધા છે. આરબીઆઈ અને કેન્દ્ર સરકાર દ્વારા ડોલર સામે રૂપિયાની નરમાઈને રોકવા માટે દરેક પગલા લેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી તેઓ રૂપિયાને નબળો થતો અટકાવવામાં સફળ થયા નથી.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
