કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની રચના બાદ ભારતીય કંપનીઓનો બિઝનેસ કોન્ફિડન્સ વધ્યો
નવી દિલ્હી, 8 ઓક્ટોબર : કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની રચના બાદ દેશના અર્થતંત્રમાં ભારતીય કંપનીઓનો વિશ્વાસ વધી ગયો છે. આ વાત માત્ર હવાઇ તુક્કા નથી પરંતુ આંકડાઓની વાસ્તવિકતા છે.
કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) અને ફિક્કી જેવાં રાષ્ટ્રીય સ્તરનાં બિઝનેસ-ઉદ્યોગ સંગઠનો દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં આ કોન્ફિડન્સની વાત ઉજાગર થઇ છે.
આ સર્વેના રસપ્રદ તારણો જાણવા આગળ ક્લિક કરો...
સર્વેમાં કેટલી કંપનીઓ સામેલ?
આ
બન્ને
સંસ્થાઓએ
કરેલા
સર્વેમાં
150
કંપનીઓએ
ભાગ
લીધો
હતો.
સર્વેમાં
કંપનીઓ
પોતાની
કામગીરીને
લઈને
વધુ
આશાવાદી
હોવાનું
CIIના
સર્વેમાં
જણાયું
છે,
જ્યારે
ફિક્કીના
સર્વેમાં
આશાવાદમાં
સાધારણ
સુધારો
થયો
હોવાનું
જણાયું
છે.
CIIના સર્વેના તારણો
CII
દ્વારા
હાથ
ધરવામાં
આવેલા
સર્વેમાં
વર્તમાન
નાણાકીય
વર્ષના
બીજા
ત્રિમાસિક
ગાળામાં
બિઝનેસ
કૉન્ફિડેન્સ
ઇન્ડેકસ
(BSI)
57.40
પોઇન્ટ
સાથે
ત્રણ
વર્ષની
ઊચી
સપાટીએ
રહ્યો
હતો.
આગલા
વર્ષના
આ
જ
ત્રિમાસિક
ગાળામાં
53.70
પોઇન્ટ
હતો.
કેટલો BSI હોય તો હકારાત્મક કહેવાય?
CII
દ્વારા
હાથ
ધરવામાં
આવેલા
સર્વેમાં
2013-14ના
બીજા
ત્રિમાસિક
ગાળામાં
BSI
45.70
પોઇન્ટ
સાથે
ઑલ
ટાઇમ
લો
હતો.
આ
અગાઉ
2011-12ના
પ્રથમ
ત્રિમાસિક
ગાળામાં
62.50
પોઇન્ટ
સાથે
BSI
સૌથી
ઊંચો
હતો.
50
પોઇન્ટથી
ઉપરના
BSIને
હકારાત્મક
માનવામાં
આવે
છે.
ફિક્કીના સર્વેના તારણો
ફિક્કીએ
વર્તમાન
નાણાકીય
વર્ષના
પ્રથમ
ત્રિમાસિક
ગાળાનો
સર્વે
કર્યો
હતો
જેમાં
BSI
72.70
પોઇન્ટ
સાથે
પોણાચાર
વર્ષની
ઊંચી
સપાટીએ
હતો
જે
ગયા
નાણાકીય
વર્ષના
પ્રથમ
ત્રિમાસિકમાં
49
પોઇન્ટ
હતો.
ઉદ્યોગોમાં મોદી મેજિક
CII
દ્વારા
હાથ
ધરવામાં
આવેલા
બીજા
ત્રિમાસિક
ગાળાના
સર્વેમાં
મોદી
સરકારની
રચના
બાદનું
ઉદ્યોગોનું
પ્રતિબિંબ
જોવા
મળ્યું
છે,
જ્યારે
ફિક્કીના
પ્રથમ
ત્રિમાસિક
ગાળાના
સર્વેમાં
નવી
સરકારનું
આંશિક
પ્રતિબિંબ
જોવા
મળ્યું
હતું.
કેન્દ્રમાં
નવી
સરકારની
રચના
મે
મહિનાના
અંતે
થઈ
હતી.
નવી સરકારે વિશ્વાસ વધાર્યો
ફીલ
ગુડ
ફેક્ટરને
પુનર્જીવિત
કરવા
સાથે
વિકાસને
વેગ
આપવાની
નવી
સરકારની
નીતિથી
ઉદ્યોગોનો
વિશ્વાસ
વધ્યો
હોવાનું
CII
એ
જણાવ્યું
છે.
વિવિધ
ક્ષેત્રોની
કંપનીઓને
આ
સર્વેમાં
આવરી
લેવાઈ
હતી.
આગામી છ મહિનામાં સ્થિતિ વધુ સુધરશે
ઉદ્યોગોની
ઉત્પાદનક્ષમતા
વધારવા
પ્રયાસ
થવા
જોઈએ
એમ
ફિક્કીએ
હાથ
ધરેલા
સર્વેમાં
ભાગ
લેનારા
લોકોએ
મત
વ્યક્ત
કર્યો
હતો.
93
ટકા
સહભાગીઓએ
આગામી
છ
મહિનામાં
આર્થિક
સ્થિતિ
સારી
રહેશે
એવો
વિશ્વાસ
વ્યક્ત
કર્યો
હોવાનું
ફિક્કીનાં
સૂત્રોએ
જણાવ્યું
હતું.