મોંઘવારીના મારથી મળશે મુક્તિ, સરકાર આપશે 29 રૂપિયા પ્રતિ કિલો ભારત ચોખા
Bharat Rice: કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય જનતા મોંઘવારીથી રાહત આપવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે ભારત સરકાર દ્વારા ભારત ચોખા લોન્ચ કરવામાં આવ્યા છે. આ ચોખા 29 રૂપિયા પ્રતિ કિલો પર સામાન્ય જનતાને વેચવામાં આવશે.
ભારત ચોખાનું વેચાણ આવતા સપ્તાહથી રિટેલ માર્કેટમાં શરૂ થશે. તેમજ વેપારીઓને ચોખાનો સંગ્રહ કરવાની સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે કિંમતોને નિયંત્રિત કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે આ પગલાં લીધાં છે.

ચોખાના ભાવમાં વધારો - કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે, વિવિધ જાતોની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં, છેલ્લા એક વર્ષમાં ચોખાના છૂટક અને જથ્થાબંધ ભાવમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે.
તેમણે જણાવ્યું હતું કે, કિંમતોને નિયંત્રિત કરવા માટે, સરકારે બે સહકારી મંડળીઓ, નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) દ્વારા છૂટક બજારમાં સબસિડીવાળા 'ભારત ચોખા' લોન્ચ કર્યા છે. સેન્ટ્રલ સ્ટોર્સમાં રૂપિયા 29 પ્રતિ કિલોના ભાવે વેચવાનો નિર્ણય લેવાયો છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પણ ભારત રાઇસ વેચશે.
કેવી રીતે ખરીદી શકશો ભારત ચોખા? - માહિતી અનુસાર, ભારત ચોખાનું વેચાણ નાફેડ, એનસીસીએફ અને કેન્દ્રીય ભંડારના રિટેલ આઉટલેટ્સ અને મોબાઇલ વાન દ્વારા કરવામાં આવશે. ભવિષ્યમાં તે રિટેલ ચેન અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે. સરકાર મોબાઈલ વાન દ્વારા પણ તેનું વેચાણ કરશે.
ભારત ચોખા 5 અને 10 કિલોના પેકેટમાં વેચાશે - ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે, આવતા સપ્તાહથી ભારત ચોખા પાંચ કિલો અને 10 કિલોના પેકેટ ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં, સરકારે છૂટક બજારમાં વેચાણ માટે પાંચ લાખ ટન ચોખાની ફાળવણી કરી છે.
સરકાર પહેલાથી જ ભારત આટા 27.50 રૂપિયા પ્રતિ કિલો અને 'ભારત દાળ' (ગ્રામ) 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહી છે. બજારમાં ફેલાતી અફવાઓને દૂર કરવાનો પ્રયાસ કરતા, ચોપરાએ જણાવ્યું હતું કે, સરકારની ચોખાની નિકાસ પરના નિયંત્રણો ટૂંક સમયમાં હટાવવાની કોઈ યોજના નથી. જ્યાં સુધી કિંમતો ઓછી ન થાય ત્યાં સુધી નિયંત્રણો ચાલુ રહેશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
