મોંઘવારીના મારથી મળશે મુક્તિ, સરકાર આપશે 29 રૂપિયા પ્રતિ કિલો ભારત ચોખા
Bharat Rice: કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય જનતા મોંઘવારીથી રાહત આપવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે ભારત સરકાર દ્વારા ભારત ચોખા લોન્ચ કરવામાં આવ્યા છે. આ ચોખા 29 રૂપિયા પ્રતિ કિલો પર સામાન્ય જનતાને વેચવામાં આવશે.
ભારત ચોખાનું વેચાણ આવતા સપ્તાહથી રિટેલ માર્કેટમાં શરૂ થશે. તેમજ વેપારીઓને ચોખાનો સંગ્રહ કરવાની સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે કિંમતોને નિયંત્રિત કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે આ પગલાં લીધાં છે.

ચોખાના ભાવમાં વધારો - કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે, વિવિધ જાતોની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં, છેલ્લા એક વર્ષમાં ચોખાના છૂટક અને જથ્થાબંધ ભાવમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે.
તેમણે જણાવ્યું હતું કે, કિંમતોને નિયંત્રિત કરવા માટે, સરકારે બે સહકારી મંડળીઓ, નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) દ્વારા છૂટક બજારમાં સબસિડીવાળા 'ભારત ચોખા' લોન્ચ કર્યા છે. સેન્ટ્રલ સ્ટોર્સમાં રૂપિયા 29 પ્રતિ કિલોના ભાવે વેચવાનો નિર્ણય લેવાયો છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પણ ભારત રાઇસ વેચશે.
કેવી રીતે ખરીદી શકશો ભારત ચોખા? - માહિતી અનુસાર, ભારત ચોખાનું વેચાણ નાફેડ, એનસીસીએફ અને કેન્દ્રીય ભંડારના રિટેલ આઉટલેટ્સ અને મોબાઇલ વાન દ્વારા કરવામાં આવશે. ભવિષ્યમાં તે રિટેલ ચેન અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે. સરકાર મોબાઈલ વાન દ્વારા પણ તેનું વેચાણ કરશે.
ભારત ચોખા 5 અને 10 કિલોના પેકેટમાં વેચાશે - ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે, આવતા સપ્તાહથી ભારત ચોખા પાંચ કિલો અને 10 કિલોના પેકેટ ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં, સરકારે છૂટક બજારમાં વેચાણ માટે પાંચ લાખ ટન ચોખાની ફાળવણી કરી છે.
સરકાર પહેલાથી જ ભારત આટા 27.50 રૂપિયા પ્રતિ કિલો અને 'ભારત દાળ' (ગ્રામ) 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહી છે. બજારમાં ફેલાતી અફવાઓને દૂર કરવાનો પ્રયાસ કરતા, ચોપરાએ જણાવ્યું હતું કે, સરકારની ચોખાની નિકાસ પરના નિયંત્રણો ટૂંક સમયમાં હટાવવાની કોઈ યોજના નથી. જ્યાં સુધી કિંમતો ઓછી ન થાય ત્યાં સુધી નિયંત્રણો ચાલુ રહેશે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
