આપનું બેંક લોકર સુરક્ષિત છે? કારણ કે બેંક નુકસાન માટે જવાબદાર નથી
શું આપ બેંકમાં લોકર ધરાવો છો? શું આપ આપના બેંક લોકરમાં દસ્તાવેજો, આભૂષણો, રૂપિયા વગેરે મૂકો છો? શું આપ એમ માનો છો કે આપની અમૂલ્ય સંપત્તિને બેંક લોકરમાં મૂકવાથી તે સુરક્ષિત થઇ ગઇ છે? આ સાથે આપ એમ પણ વિચારો છો કે જો લોકરમાંથી કોઇ વસ્તુ આમ કે તેમ થઇ તો ટેન્શન નથી અને તેની ચૂકવણી ખુદ બેંક કરશે. જો આપ આ તમામ બાબતો વિચારતા હોવ અને કરતા હોવ તો આપે સતર્ક થઇ જવાની જરૂર છે.
આપે એ જાણી લેવાની જરૂર છે કે બેંકમાં લોકર્સ ફુલ પ્રુફ સિક્યુરિટી વ્યવસ્થા હેઠળ રાખવામાં આવે છે. આમ છતાં લોકરમાં મૂકેલી કોઇ પણ પ્રકારની વસ્તુની સાચવવાની જવાબદારી બેંક કે બેંકના કર્મચારીઓની હોતી નથી.

આ વાતનો એક પુરાવો પાછલા દિવસમાં હરિયાણાના સોનિપતમાં આવેલી પંજાબ નેશનલ બેંકમાં જોવા મળ્યો હતો. આ બેંકની એક શાળામાં લૂંટારુઓએ જમીનમાં સુરંગ બનાવીને બેંકના લોકર્સ લૂંટ્યા હતા. જેના કારણે ચર્ચા શરૂ થઇ હતી કે છેવટે લોકરની લૂંટના નુકસાનની ભરપાઇ ગ્રાહકોને કેમ કરવામાં આવી રહી નથી?
વાસ્તવમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ અનુસાર બેંકમાં લોકરની લૂંટ કે નુકસાન થવાના કિસ્સામાં તેના માટે બેંક કે બેંકના અધિકારીઓ જવાબદાર નથી. કોન્ટ્રાક્ટ એક્ટ સેક્શન 152 અનુસાર બેંક લોકર સાથે જોડાયેલા કોઇ પણ નુકસાન, બર્બાદી કે સામગ્રીના નાશ માટે બેંક જવાબદાર હોતી નથી.












Click it and Unblock the Notifications
