Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોન મોરિટોરિયમ પર સુપ્રીમ કોર્ટમાં RBIની એફિડેવિટ - વધુ રાહત આપવી સંભવ નથી

ભારતીય રિઝર્વ બેંક(RBI)એ લોન મોરેટોરિયમ મામલે સુપ્રીમ કોર્ટમાં નવી એફિડેવિટ દાખલ કરી છે.

નવી દિલ્લીઃ ભારતીય રિઝર્વ બેંક(RBI)એ લોન મોરેટોરિયમ મામલે સુપ્રીમ કોર્ટમાં નવી એફિડેવિટ દાખલ કરી છે. એફિડેવિટમાં આરબીઆઈએ કહ્યુ છે કે કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત સેક્ટર્સને વધુ રાહત આપવી સંભવ નથી. આરબીઆઈએ એમ પણ કહ્યુ છે કે મોરેટોરિયમનો સમયગાળો 6 મહિનાથી વધારવો સંભવ નથી. તમને જણાવી દઈએ કે 13 ઓક્ટોબર પહેલા સુપ્રીમ કોર્ટમાં લોન મોરેટોરિયમ મામલે સુનાવણી થતા પહેલા આરબીઆઈએ ન્યાયાલયમાં પોતાની એફિડેવિટ દાખલ કરી છે.

SC

પોતાની એફિડેવિટમાં ભારતીય રિઝર્વ બેંકે કહ્યુ કે 2 કરોડ સુધીની લોન માટે ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવામાં આવી શકે છે પરંતુ તેમ છતાં વધુ કોઈ રાહત આપવી રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને બેંકિંગ ક્ષેત્ર માટે હાનિકારક થઈ શકે છે. આરબીઆઈએ કહ્યુ કે છ મહિનાથી વધુ મોરેટોરિયમ ઉધારકર્તાઓના ક્રેડિટ વ્યવહારને પ્રભાવિત કરી શકે છે અને નિર્ધારિત ચૂકવણીને ફરીથી શરૂ કરવામાં વિલંબના જોખમને વધારી શકે છે. આનાથી અર્થવ્યવસ્થામાં લોન નિર્માણની પ્રક્રિયા પર ખરાબ પ્રભાવ પડશે.

આરબીઆઈએ સુપ્રીમ કોર્ટને કહ્યુ કે સરકાર પહેલા જ 2 કરોડ સુધીના નાની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ ન લેવાનો નિર્ણય કરી ચૂકી છે અને તેનાથી વધુ રાહત આપવી સંભવ નથી. રિયલ એસ્ટેટ સેક્ટર સહિત અમુક ક્ષેત્ર કોરોના આવતા પહેલા જ મુશ્કેલીનો સામનો કરી રહ્યુ હતુ. કોવિડ-19 દરમિયા સરકાર તરફથી આપવામાં આવેલુ મોરેટોરિયમ તેમની બધી સમસ્યાઓનો ઉકેલ ન હોઈ શકે. આ ઉપરાંત આરબીઆઈએ કોર્ટેને કહ્યુ કે લોનની ચૂકવણી ન કરનારા બધા ખાતાઓને NPA ઘોષિત કરવા પર લાગેલી રોકને હટાવવામાં આવે, આનાથી બેંકિંગ વ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X