ITR File : ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો આજે અંતિમ તારીખ, ચૂકી ગયા તો મળશે બીજી તક
ITR File : નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન (ITR File) ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ, 2023 છે. જો તમે આ દિવસ પણ ITR File કરવાનું ચૂકી જાવ તો તમને વધુ એક મોકો મળશે.
તમે દંડ ભરીને 31 ડિસેમ્બર, 2023 ITR File કરી શકો છો. કોઇપણ નાણાકીય વર્ષ દરમિયાન નિયત સમયમર્યાદા ખતમ થઇ જાય, તો બિલટેડ રિટર્ન ભરવાની તક મળે છે.

આવકવેરા અધિનિયમની કલમ 139(1) હેઠળ કોઈપણ આકારણી વર્ષ માટે નિર્ધારિત સમય મર્યાદામાં રિટર્ન ન ફાઈલ કરવા માટે કલમ 234F હેઠળ દંડ સાથે વિલંબિત રિટર્ન ફાઈલ કરવાનો અવકાશ છે. જો આવકવેરા ભરનારની કુલ આવક 5 લાખથી વધુ ન હોય તો તેણે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
જો આવક 5 લાખથી વધુ હોય તો 5,000 રૂપિયાનો દંડ થશે. જો આવક મુક્તિ મર્યાદા (2.50 લાખ) કરતાં ઓછી છે, તો કોઈ દંડ લાગશે નહીં. 30 જુલાઈ 2023 સુધીમાં 6 કરોડથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. માત્ર રવિવારે સાંજે 6.30 વાગ્યા સુધી 26.76 લાખ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા.
રિટર્ન ફાઈલ ન કરવા બદલ દંડની ગણતરી નિયત તારીખ પછીની તારીખથી એટલે કે જુલાઈ 31, 2023 થી શરૂ થાય છે. તેથી ITR File કરવામાં જેટલો વિલંબ થશે, તેટલો વધારે દંડ ચૂકવવો પડશે. દંડની સાથે વ્યાજ પણ વસૂલવામાં આવશે.
જો તમે નિયત તારીખે અથવા તે પહેલાં રિટર્ન ફાઈલ કરશો નહીં, તો આવકવેરા કાયદાની કલમ 234A હેઠળ બાકી ટેક્સ પર દર મહિને અથવા મહિનાના ભાગ માટે એક ટકાના દરે વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે. જો ટેક્સ ન ભર્યો હોય, તો ITR File કરી શકાશે નહીં.
જો તમે 31 ડિસેમ્બર, 2023 સુધીમાં પણ ITR File ન કરો તો આવકવેરા વિભાગ તમને કારણ બતાવો નોટિસ આપી શકે છે. જો તમારો ખુલાસો સંતોષકારક ન જણાય તો, આવકવેરા વિભાગ તેની વૈધાનિક સત્તા મુજબ આ મામલે કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી શકે છે. આમાં સંબંધિત આવકવેરા ભરનારને વધુમાં વધુ સાત વર્ષની જેલની સજા થઈ શકે છે.
બેંક બજારના CEO અધિલ શેટ્ટીનું કહેવું છે કે, ખોટથી બચવા માટે ITR File કરવું જરૂરી છે. સમયસર રિટર્ન ભરવાના ઘણા ફાયદા છે. તેમાંથી એક સમયસર રિફંડ છે. આ ઉપરાંત જો તમે નિયત તારીખ સુધીમાં ITR File કરો છો, તો તમે તમારી ખોટને પછીના નાણાકીય વર્ષોમાં આગળ વધારશો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
