Jantri rate increase in gujarat 2025 : ગુજરાતમાં જંત્રીના ભાવને લઈને મહત્વના સમાચાર
Jantri rate increase in gujarat 2025 : ગુજરાતમાં જમીન અને સંપત્તિની કિંમતો નક્કી કરતી જંત્રીને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે.
રાજ્ય સરકારે અગાઉ જાહેર કરેલા નવા જંત્રી દરોને લઈને ફરી એકવાર ચર્ચા કરી છે અને આ નિર્ણયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હવે સરકાર જંત્રીના નવા ભાવ લાગુ કરશે.
જંત્રી અંગે મહત્વના નિર્ણયો
- નવા જંત્રી દર એપ્રિલ 2025થી અમલમાં આવી શકે છે.
- સરકારને 11,000થી વધુ વાંધા અરજીઓ મળી હતી, જેમાંથી 6,000 અરજીઓ જંત્રીના દર ઘટાડવા માટે હતી.
- શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી વાંધા અને સૂચનો સરકાર સુધી પહોંચ્યા હતા, જેમાં 5,400 શહેરી અને 4,900 ગ્રામ્ય વિસ્તારમાંથી અરજી મળેલી.
- વાંધા અને સૂચનો મંગાવવા માટેની મુદત 20 ડિસેમ્બર 2024 સુધી હતી, જે બાદમાં 20 જાન્યુઆરી 2025 સુધી લંબાવવામાં આવી હતી.
- ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે વાંધા અને સૂચનો સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગુજરાતમાં છેલ્લે 2011માં જંત્રીના નવા દરો લાગુ થયા હતા. આ પછી બે વર્ષ બાદ સરકાર દ્વારા જંત્રી દર ડબલ કરાયા હતા, જેનાથી વિવાદ ઊભો થયો હતો. આ પછી રાજ્યભરમાં વેલ્યુ ઝોન નક્કી કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કરાયો હતો. નવા જંત્રી દર અંગે વધુ સ્પષ્ટતા તંત્ર દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
More From
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
